SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ यद्यपि सामान्यमात्रेऽनुमानस्य पर्यवसितत्वात् न विशेषावगतिः संभवति, तथापि शास्त्रादस्य सर्वज्ञत्वादयो विशेषा अवगन्तव्याः ।। “જ્ઞાનાદિના તારતમ્ય ઉપરથી, નિરતિશયજ્ઞાનના આધાર એવા ઈશ્વરનું જે અનુમાન કરવામાં આવે છે તે એક નિવિશેષ સામાન્યની ઉપલબ્ધિ સિવાય બીજું કંઈ જ નથી. ઈશ્વરના કેઈ વિશેષ ગુણને પરિચય નથી મળતા.' પાશ્ચાત્ય દાર્શનિક કાર પણ એજ વાત કહે છે. ભોજરાજ માને છે કે શાસ્ત્રોની સહાયથી ઈશ્વર સંબંધી વિશેષ જ્ઞાન મેળવી શકાય. કાર પણ એટલું તે સ્વીકારે છે જ, ચોગદર્શનની સાથે સાંખ્યને મૌલિક ભેદ નથી. છતાં કપિલ, પતંજલિના ઈશ્વરવાળો અસ્વીકાર કરે છે. એ સ્પષ્ટ શબ્દોમાં કહે છે – “ફુરસિદ્ધ ” વિષયાધ્યાય ૧૦ / પ્રમાણ વડે ઈશ્વરની સિદ્ધિ થઈ શકતી નથી. પતંજલિની જેમ જૈનાચાર્યો પણ એક અદિતીય ઈરને ઈન્કાર કરે છે. તે પછી ઈશ્વર એટલે શું સમજવું ? કાન્ટની આપત્તિનો ઉત્તર વાળતાં હીગલ આદિ દાર્શ. નિકો કહે છે કે–વિજ્ઞાનની સાથે યથાર્થ–પ્રકૃત સત્તાનો વિરોધ છે એ વાત બરાબર નથી. Real is rational અને Rational is real: જે વિજ્ઞાન દષ્ટિએ પરિક્રુટ-સમજાય એવું છે તે વસ્તુતઃ સત્ય છે. હવે જે પૂર્ણસત્ત્વ, સર્વ વિજ્ઞાન દષ્ટિએ સમજતા હોય તે સર્વજ્ઞ પુરૂષ વસ્તુતઃ સંભવે છે એમ માનવું જ પડે. ઑસ્ટિન પણ કહે છે કે–અસત્ય. એ સત્યને વિકારમાત્ર છે. અસત્ય જ સત્યસ્વરૂ૫ ઈશ્વરનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005294
Book TitleJinvani
Original Sutra AuthorN/A
AuthorHarisatya Bhattacharya, Sushil
PublisherUnjha Ayurvedic Faramacy
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy