SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ વિક્રતીશ” સપદાર્થને લાવે છે અને ઈશ્વરવાદ એક મહાન અષ્ટાને નિર્દેશ કરે છે. જૈનદર્શન અદ્વૈતવાદ, કર્તૃત્વવાદ બન્નેને વિરોધી છે એટલે શૃંખલાબદ્ધ ગતિઓનું અને તેની સાથે વિશ્વમાં રહેલા નિયમનું કારણ નક્કી કરવામાં જૈનોને પિતાની મેળે ગતિશીલ જીવ અને પુદ્ગલને સ્વાભાવિક પ્રકૃતિ ઊપર જ આધાર રાખવાની ફરજ પડે છે. બધા જીવોમાં સમાન જ જીવના ગુણો રહેલા છે. તેથી બધા જીવોનાં કર્મો અને ક્રિયાપદ્ધતિ ઘણે ભાગે એક પ્રકારની જ હોય છે. વળી એક જ કાલ, આકાશ, ધર્મ, અધર્મ અને પુગલની સાથે જોડાઈને બધા જીવને કામ કરવું પડે છે; એ કારણથી પણ જીવોમાં એક નિયમ અને ખલાને આર્વિભાવ થાય છે. જડ જગતની શંખલા સંબંધે અમને લાગે છે કે જૈન દર્શન આધુનિક વિજ્ઞાનસંમત મત રવીકારમાં લગારે આનાકાની નહિં કરે. વર્તમાન યુગના જડ વિજ્ઞાનના આચાર્યોની પેઠે જૈને પણ કહી શકે કે જડ જગતમાં જે ખલા છે તે જડ પદાર્થનાં સ્વાભાવિક ગુણમાંથી જન્મેલી છે. જડનું સંસ્થાન (mass) અને ગતિ (motion) ગુરુત્વાકર્ષણને (law of gravity) નિયમ અને જડમાં રહેલી આકર્ષણ વિકર્ષણ શક્તિ (Principles of attraction and repulsion) માંથી જ જડ જગતની ખલા ઉદ્દભવે છે. જડ વ્યાપારમાં (Purely material phenomena) જે નિયમ જોવામાં આવે છે તેની પ્રતિષ્ઠામાં ધર્મ, અધમ, આકાશ અને કાલનું અસ્તિત્વ ભહુ જ સહાયક છે, એ પણ અહિં સ્વીકારવું જોઈએ. જગતમાં જીવોનું અસ્તિત્વ પણ જડ જગતની ખલાનું પિષક છે; કારણ અનાદિકાલથી જે બધા બહળવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005294
Book TitleJinvani
Original Sutra AuthorN/A
AuthorHarisatya Bhattacharya, Sushil
PublisherUnjha Ayurvedic Faramacy
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy