SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ હમેશાં સુંદર જ લાગે છે. આપણે જેને પ્રેમ કરીએ છીએ, તેને સુંદર માનીએ છીએ. દરેક માતા પોતાના દિકરાને કૃષ્ણ કનૈયો જ માને છે. પુરુષને સમજવો પડે છે. નારીને માત્ર પ્રેમ આપવો પડે છે. નારીને સમજવા મથનાર હોશિયાર પુરુષોનો તોટો નથી. મનોવિજ્ઞાને નારીને 'ENIGMA' કહી નવાજી છે. મોનાલીસાનું સ્મિત કોઈ ઉકેલી શક્યું નથી. મનોવિજ્ઞાની ડૉ. હૅરી ઓવરૃટે આ મૂળભૂત તથને સંશોધનોથી સાબિત કર્યું છે. રોજર બેકને મહાવીર જેવી જ વાત કહી. જ્ઞાન એ પ્રકાશ છે. જ્ઞાન એ શકિત છે; એવી શકિત જે માનવીને ભયમુકત કરે છે. તમામ હાનિનું મૂળ અજ્ઞાન છે. ભય પલાયનવાદને પોષે છે. સ્વની સમજણ સંતુલિત અને સ્વસ્થ જીવનનો પાયો છે. પોતાની જ દયા ખાનાર દયનીય બની જાય છે. પછી સહાનુભૂતિ માટે ઠેરઠેર ભટકે છે. શ્રદ્ધાનો અભાવ અનેક કસરતો કરાવે છે. ડૉ. લોઈડ ફોસ્ટર કહેતા “ચિંતા એ રૉકિંગ ચેર જેવી છે. હાલક ડોલક થાય, એટલે લાગે કે ગતિશીલતા છે, પણ એ ગતિ કયાં પણ લઈ જતી નથી. ચિંતા એટલે ગાડી ગેરેજમાં મૂકી, એન ચાલુ રાખીને ગેરેજ બંધ કરવું. ચિંતા આપણી ઘણી શકિત-ઉર્જ ખાઈ જાય છે. કોઈપણ નશાકારક વ્યસન એ ઉર્મિલ સંઘર્ષ અને તાણયુકત દશાના બાહ્ય ઉપચારો છે. માણસ કોઈ વિચિત્ર દુનિયામાં પહોંચી જાય છે અને નશો રહે ત્યાં સુધી બધું ભૂલી જાય છે. નશાને પણ મનોવિજ્ઞાને એક પ્રકારનું ગાંડપણ કહ્યું છે. | ડૉ. વોલ્ટર માઈલ્સ તથા જહોન હોપકિન્સ યુનિવર્સીટીના ડૉ. રોબર્ટસેલીગરે આ દિશામાં વ્યાપક સંશોધનો કર્યા છે. અણગમતી પરિસ્થિતિ સામે જીવતા શીખવું અને ડૉ. રૉબર્ટે મોઝીઝની દશ આજ્ઞાની જેમ પચ્ચીસ આજ્ઞાઓના પાલનનો અનુરોધ કર્યો છે. જેથી બાળકના સ્તરે થોભી ગયેલો નશાબાજ પુખ્ત ઉમરે પહોંચે. ૨૮ વર્ષની થેલ્માનો પતિ કંપનીની ડયુટીસર વિદેશ ગયો હતો. પતિના પાછા ફરવાની એક મહિના અગાઉથી થેલ્માને સતત માથું દુખવાની શરૂઆત થઈ માઈગ્રેન - ઝીણું ઝીણું માથું દુખ્યા જ કરે. એના મનમાં ઠસી ગયું કે મગજનું કેન્સર થઈ ગયું છે અને કેન્સર વધી રહ્યું છે. એક પ્રકારના ઘણના ઠાણકા લાગતા હોય એવી પીડા થાય. દવાઓ કારગત ન નીવડી. છેવટે મનસ્વિદે ચિકિત્સા હાથ ધરી. મનોવિશ્લેષણમાં બહાર આવ્યું કે એક રાતે થેલ્માએ પરપુરુષ સાથે સંબંધ બાંધ્યો, પોતાના જ બેડરૂમમાં મોટા બેડ પર પતિની જગા તે રાતે બીજા માણસે લીધી. બીજા દિવસની સવારથી મગજમાં ઠણકા શરૂ થઈ ગયા. કારણ સ્પષ્ટ હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy