SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ રેસ રમે છે, જુગારની કલબોમાં જાય છે, શેરસટ્ટો કરે છે, ડ્રગનો આદિ થઈ જાય છે. કયાં કયાં નથી જતો? જિંદગીનો ખેલ ખેલી ન શકનાર પાનાં રમે છે. ન્યુરોટિક માંદગીને નિમંત્રે છે. આનું એક કારણ છે. પીડા સહન કરવાની અશકિત. એનું PAIN TOLERANCE QUOTIENT (PTO)નો આંક ઘણો નીચો હોય છે. INSANITY- ગાંડપણ, સચ્ચાઈથી વાસ્તવિકતાથી પોતાની જાતને ખેંચી લેવાનું પરિણામ છે. આ એક વિકૃત એબનોર્મલ વૃત્તિ છે. ગાંડો કે ચિત્તભ્રમ પોતાની સપનાની દુનિયામાં વિહરતો થઈ જાય છે. કશું બહારનું સ્પર્શતું નથી. કૌટુંબિક, સામાજિક તમામ જવાબદારીથી મુકત થવાનો કીમિયો. મનોવિજ્ઞાન આવા લોકો માટે LIVING DEAD જીવતાં છતાં મૃત્યુ પામેલા એવો ઉલ્લેખ કરે છે. અને હકીકતમાં એ માનસિક આપઘાત જ છે. આની ચરમ સીમા, હારેલા માનવીનું અંતિમ કૃત્ય, પલાયનવાદની અંતિમ પરિણતિ છે : આત્મહત્યા. ખોટા, ભ્રામક પ્રતિષ્ઠાના ખ્યાલો થકી માણસ પોતાનું મન મોકળું કરી કોઈને કહેતો નથી અને પોતાનો જ ઘાત કરી છૂટવાનો માર્ગ અપનાવે છે. અમેરિકામાં યુવાનોનું આપઘાતનું પ્રમાણ વીસ વર્ષ પર હતું, તેનાથી ત્રણ ગણું અને દસ વર્ષ પર હતું તેનાથી બમણું છે. ગુજરાતમાં પ્રતિદિન છ આપઘાત થાય છે. કુટુંબ કલેશ, દહેજ પ્રથા વગેરે યુવાન વહુઓની આહૂતિ લે છે. ચાર્લી ચેપ્લીને ‘લાઈન લાઈટ'મા કહ્યું. We all despirse Ourselves.' આપણે બધા આપણને જ નફરત કરીએ છીએ. જીવન પ્રત્યેની ધૃણા, બીજા પ્રત્યેની ધૃણા, એજ પોતા તરફ વળે છે, ત્યારે આપધાત નીપજે છે. અમેરિકામાં એક કરોડ ચાલીસ લાખ લોકો માનસિક રોગોથી પીડાય છે. દર વર્ષે ચાર લાખ છૂટાછેડાનું કારણ શું હોઈ શકે ? મનોવિજ્ઞાન પણ સ્વસ્થજીવન માટે છેલ્લે તો એજ વાત કહે છે: માનવીમાં શ્રદ્ધા, તમામ જીવો પ્રત્યે કરુણા, આદર, બધા માટે સ્નેહ, જીવન પ્રત્યે નિષ્ઠા અને આનંદ. અને કહે છે. જીવન હિંમતભેર, ભયમુકત અને ઉપયોગી જીવવું એ તમારી સમાજ પ્રત્યે, મિત્રો પ્રત્યે કુટુંબ પ્રત્યે અને સર્જનહાર પ્રત્યેની પવિત્ર ફરજ છે. એનો સ્વીકાર કરો. બુદ્ધિથી બધી સમસ્યાઓનો ઉકેલ આવતો નથી. બુદ્ધિ તો એક શસ્ત્ર છે. એનો ઉચિત ઉપયોગ, વાપરનારની સવૃત્તિ અને હિંમત પર અવલંબે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy