SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ જ્ઞાનતંતુની વ્યવસ્થા (Autonomous Nervous system) શ્વાસોશ્વાસ, રૂધિરાભિસરણ, મેટાબોલીઝમ (જીવવાની ગતિ) વગેરે જીવન ટકાવી રાખવાની ક્રિયાઓનું આપણી જાણ બહાર સંચાલન કરે છે હાઈપોથેલેમસને આધિન રહીને... Sympathetic અને Parasympathetic; સહાનુભૂતિયુકત અને પરસહાનુભૂતિયુકત - આ બે પ્રક્રિયાઓ દરેક ઘટના-સંજોગોને અનુરૂપ થવાની શરીરના પુરુષાર્થને સહાયરૂપ થાય છે. એકથી સ્નાયુઓનું સંકોચન, ગ્રંથિઓની ક્રિયા વગેરે પેદા થાય છે. બીજી એથી ઉલ્ટી કામગીરી બજાવી રાહતની ક્રિયા બજાવે છે. કોઈપણ સંજોગોની વિપરીત અસરમાંથી બચવા જેમ શરીર પુરુષાર્થ કરે છે, તેમ એવી અપેક્ષા રાખી શકાય કે માનવીનું મન પણ પુરુષાર્થ કરે. સંજોગોને મૂઢતાથી સહી લેવા ને દુ:ખી થવું, એમાં માનવીના ગૌરવનો હ્રાસ છે. કર્મ કે ભાગને દોષ આપી હાથ જોડી બેસી રહેવું, એ માનવીય ક્ષમતાનું અપમાન છે. જૈન દર્શન પુરુષાર્થવાદી છે, જૈન દર્શને પુરુષાર્થ પર વધુ ભાર મૂકયો છે. કર્મોના બળ કરતાં પુરુષાર્થનું બળ અનેકગણું વધારે હોય છે. પુરુષાર્થ એ બીજું કાંઈ નહિ તોયે પ્રારબ્ધનો પ્રતિકાર તો છે જ. આ તમામ તંત્રોની અટપટી ક્રિયાઓથી ઉર્મિમાંથી શારીરિક સંજ્ઞા કે લક્ષણો ઉભવે છે અને આ તંત્ર-વ્યવસ્થા મનોદૈહિક રોગોમાં અગત્યનો ભાગ ભજવે છે. જીવનની મહત્વની ઘટનાઓના આધારે ૪૦ દરદીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું અને જેમાં મુખ્ય કે અગત્યની ગણાવી શકાય એવી છે. જીવનસાથીનું મૃત્યુ, લગ્ન, સફળતાનું શિખર સર કરવું, આર્થિક પરિસ્થિતિમાં ગણનાપાત્ર ફેરફાર, છૂટાછેડા, દીકરીનાં લગ્ન, પત્નીથી છૂટા રહેવાનો યોગ, જેલયાત્રા, માંદગી, અકસ્માતથી શારીરિક ઈજા, બેકારી. પત્ની કે પતિ સાથે ઘર્ષણ કે છૂટા રહેવા બાદ ફરી સુમેળ, નોકરી કે ધંધામાંથી નિવૃત્તિ, દીકરાનું છૂટા રહેવા જવું, સ્વજનનું મૃત્યુ, અંગત મિત્રનું મૃત્યુ કે વિયોગ વગેરે. આવી ઘટનાઓ પછી છ મહિના કે એક વર્ષની અંદર જ માંદગી આવવાનો પૂરો સંભવ રહે છે. ખાસ કરીને જીવનસાથીના મૃત્યુ બાદ છ મહિનાની અંદર જ!એટલે જ તો દરેક હાલમાં હર્ષકે શોકમાં સમભાવ કેળવવાનો, સમતા જાળવવાનો શાસ્ત્રોએ આદેશ આપ્યો છે. એક સુખી માણસ સારી નોકરીમાંથી પાંસઠ વર્ષે નિવૃત્ત થયો. (બ્રિટનની વાત છે) પણ બીજે જ દિવસે રોજીંદી આદત મુજબ તૈયાર થઈ ગયો-ઓફિસે જવા. બુટ મોજ પહેરી કોટ ચઢાવી લાકડી લીધી ત્યાં જ એને ખ્યાલ આવ્યો કે હવે તો નિવૃત્ત છે. ઓફિસે જવાનું નથી. અને તત્પણ હદયરોગને જોરદાર હૂમલો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy