SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ માત્ર માનવપ્રાણીમાં જ છે. બદલાતા સંજોગોને, સાંયોગિક ઉત્પાતને તેમજ શારીરિક સ્તરે થતી ઉથલપાંથલને પ્રાણીઓ કરતાં માનવી જ વધારે સારી રીતે અનુકૂળ થઈ શકે છે અને એટલે જ માનવી સર્વશ્રેષ્ઠ છે. સંઘર્ષના તમામ પર્યાવરણમાં માનવશરીર ઘસાવાને બદલે સૂક્ષ્મ ફેરફારો ધારણ કરી સુસજ્જ થઈ જાય છે. શરીરના દરેક અવયવને પૂરા શરીરની વર્તમાન તેમજ ભવિષ્યની જરૂરિયાતોનો પૂરો ખ્યાલ હોય છે ! અને એ અનુસાર શરીર વર્તે છે. શરીર નજીકનું તેમજ દૂરનું સ્પષ્ટ ભાળી શકે છે. તમામ સંરક્ષણ વ્યવસ્થા-મનની અને તનની-સેફટી ડીવાઈસ જેવા સૂક્ષ્મ તંત્રોનો સંચાલનનો સોનેરી નિયમ એ છે કે એનો ખૂબ વિવેકપૂર્વક ઉપયોગ કરવો અને જરા પણ બેદરકારી, લાપરવાહી કે ગેરઉપયોગથી આ નાજુક તંત્ર ખોટકાઈ જવાનો પૂરેપૂરો સંભવ હોય છે. દિવસમાં માણસ દસ વખત ગુસ્સે થતો હશે, ઉશ્કેરાટ અનુવભતો હશે, પણ આ ક્રોધ ભાગ્યે જ ખૂનરેજીમાં કે ઝપાઝપીમાં પરિણમતો હશે. છતાં શરીર એની પણ પૂર્વતૈયારી રાખી સજ્જ થઈ જાય છે. આ અનુચિત ઉપયોગ નથી? બહાર જવા માટે દિવસમાં દસ વખત કપડાં બદલાવીએ, પણ બહાર જવાનું જ ન થાય, તો માણસ થાકી-કંટાળી ન જાય? ક્રોધ, એમાંથી નિપજતી હિંસક વૃત્તિ, ભય, વગેરે ઘટનાઓથી બ્લડ પ્રેશર, હૃદય રોગ, લકવો વગેરે રોગો થવાની સંભાવના પાછળનું મૂળ કારણ છે, આ વ્યવસ્થાતંત્રનો ગેર ઉપયોગ ! હોરમોન પેદા કરવાની ક્ષમતા જોખમમાં આવી પડે છે. પરીક્ષા દરમિયાન તાણથી એડરીનાલીન વધારે છૂટે છે હિંસાયુકત ફિલ્મો જોવાથી, લડાઈ દરમિયાન પાયલટની મનસ્થિતિ કંટાળાજનક કામ વગેરે સંજોગોમાં પણ આ ગ્રંથિઓ કાર્યશીલ થાય છે અને સરવાળે આ વ્યવસ્થા નબળી પડી રોગોને આમંત્રે છે. એડરીનલ ગ્રંથિના મેડયુલા ઉપર એક પ્રકારનું કવચ હોય છે. આ કવચ એક સ્વતંત્ર ગ્રંથિ છે. જેને એડ્રીનલ કોર્ટેક્ષ કહેવાય છે. એડ્રેનલ મેડયુલામાંથી એડરીનાલીન ઉપરાંત નોર-એડરીનાલીન પણ ઝરે છે, એ હમણાં ૧૯૪૬માં જ શોધાયું. આ હોરેમોન માનવીને ઉત્તેજીત અને આક્રમક બનાવે છે. એડરીનલ કોર્ટેક્ષના હોરમોનથી પણ માનસિક અવસ્થામાં વધઘટ થાય છે. ૧૮૫૫માં ડો, થોમસ એડીસને એડરીનલ કોર્ટેક્ષનું મહત્ત્વ શોધી કાઢ્યું. સતત તાણયુકત બોજાયુકત દિનચર્યા સ્વાસ્થ્યને હાનિકારક નીવડે છે. ભારે ટ્રાફિકમાં રોજ મોટર ચલાવવી, અણગમતું કે નિરાશાજનક કામ, નીરસ વાતાવરણ, જીવન સાથે સતત સંઘર્ષ, નાના બાળકની ગંભીર માંદગી વગેરે કારણોથી એડ્રેનલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy