SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ એડ્રીનલ ગ્રંથિઓની શોધ ઈટાલીઅન શરીરશાસ્ત્રી બાટોલોમિયો યુસ્ટાચીએ ૧૫૬૩માં કરી (એની અન્ય શોધને કારણે ગળા અને કાનની વચ્ચેની નળીને યુસ્ટાચીઅન ટ્યુબ નામ આપવામાં આવ્યું છે). પણ એની કામગીરી વિષે કોઈ માહિતી ન હતી. ઈ.સ. ૧૭૧૯માં ફ્રાન્સની સાયન્સ એકેડેમીએ આ માહિતીની શોધ કરનારને ઈનામ આપવાની પણ ઓફર કરી. લગભગ બે સૈકા બાદ ડો. જયોર્જ ઓલીવર અને સર એડવર્ડ શાર્પે સ્ટેફરે (બેઉ અંગ્રેજો) ગ્રંથિના અંદરના ભાગમાંથી રસ કાઢી એકઠો કર્યો અને પ્રયોગોમાં જણાયું કે એમાં લોહીવાહિનીઓનું બ્લડ પ્રેશર અને હ્રદયના ધબકારા વધારવાની શકિત હતી! ત્યારબાદ જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ડો. જહોન એબેલે એ રસમાંથી ‘એડ્રીનાલીન’ દ્રવ્ય છૂટું પાડયું. હાર્વર્ડના વોલ્ટેર કેનન અને એના સાથી ડી. ડેલાપાઝે ઉર્મિતંત્ર અને એડ્રીનાલીનના ઝરવા વચ્ચે ચોકકસ સંબંધ શોધી કાઢ્યો. ૧૯૧૧માં એમણે તારણ જાહેર કરતાં જણાવ્યું કે ભયભીત અવસ્થામાં બિલાડીની ગ્રંથિમાંથી એડ્રીનાલીન વધારે ઝરે છે અને લોહીમાં પણ દેખા દે છે, અને એથી લીવર શર્કરા છૂટી કરે છે ને લોહીમાં ભળે છે. થાયરોઈડ, એડ્રીનલ અને પેન્ક્રીઆસ ગ્રંથિઓ થાયરોકસીન, એડ્રીનાલીન અને ઈન્સ્યુલીન જેવા કમ્પાઉન્ડનું સંયોજન કરે છે. રાસાયણિક ટ્રાન્સફોર્મરની કામગીરી બજાવે છે. શરીરના કોષો તેમજ અવયવો માટે અને દૈહિક તેમજ માનસિક કાર્યશીલતાને જરૂરી એવા તત્ત્વો પ્રદાન કરે છે. આ ઘટના કૌતુકભરી છે. એક મોટરકાર ચાલતી હોય, ત્યારે એના જ કોઈ મશીનના ભાગની કામગીરીથી મશીન માટે જરૂરી તેલ ઉત્પન્ન થતું હોય એવી. મનના આવેગો પિચ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરે છે; જેની વળતી અસર પીનીઅલ ગ્રંથિ અને સમસ્ત એન્ડોક્રાઈન તંત્ર પર પડે છે પિચ્યુટરી એ મગજમાં આવેલી વટાણા જેવડી સર્વોપરિ (Master) ગ્રંથિ છે, જે સમસ્ત ગ્રંથિઓનું સંચાલન કરે છે તથા નિયમન કરે છે. રાગ-દ્વેષ ભય વગેરે થકી જે તાણયુકત પરિસ્થિતિ નિર્માણ થાય છે, તેથી એડ્રીનાલીન વધારે છૂટે છે. ક્રોધ: શરીરને માટે કોઈ સૌથી હાનિકારક કષાય હોય તો તે ક્રોધ. માનવી પ્રબળ ઉશ્કેરાટ કે ક્રોધથી આક્રમક બની જાય છે, ત્યારે શરીરનું સહચારિક તંત્ર - સિમ્પથેટિક સિસ્ટમને જ દાદ આપે છે. આ પ્રસંગે એડ્રીનલ ગ્રંથિમાંથી એડ્રીનાલીન તરત લોહીમાં ઠલવાય છે અને શરીરની રૂધિરાભિસરણની પ્રક્રિયા પર ઘેરો પ્રભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy