SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ આંદોલનો સમાન સ્તરે ચાલતા હોય તો જ તમને જંતુઓ ત્રાસરૂપ બની શકે છે અને જંતુની ભૂમિકાએ માણસને ખેંચી જનાર વસ્તુ છે ભય. અંત:સ્ફરણા એક આધ્યાત્મિક શકિત છે. તે ખુલાસો નથી આપતી, માત્ર માર્ગ નિર્દેશ છે. માનવીની ભીતરમાં રહેલી અનંત ચેતના એ જ એની સાચી નિયતિ. અંદરની દિવ્યતા પર બધો બોજો છોડી માણસ હળવો થઈ શકે છે. માણસ જેવી કલ્પનાઓ કરે છે, તેવો થઈ જાય છે. માણસ જેવા દર્દની કલ્પનાથી ડરતો હોય, તે જ દર્દ એને લાગુ પડે છે. માણસે પોતાની ક્ષમતાઓને એવી તાલીમ આપવી જોઈએ કે જે શુભ કલ્પનાઓ ચિંતવે. એક છોકરી નાની હતી ત્યારથી કાળાં કપડાં પહેરવાનો શોખ. વિધવાઓ જેવા. પરણ્યા પછી એ ખરેખર વિધવા થઈ ગઈ. દરેક રોગ મન સાથે સંકળાયેલો છે. માણસ દ્વેષ, તિરસ્કાર સેવે, તો તેને માંદગી આવ્યા વગર રહેતી નથી. બીજાઓની નિંદા તિરસ્કાર રોગને નિમંત્રણ આપવા જેવું છે. કારણ કે બીજાઓમાં જેને તે તિરસ્કારે છે, તે જ વસ્તુ તેના ભણી ખેંચાઈ આવે છે. નિત્ય આરોગ્ય માટે માણસનો આત્મા બરફ જેવો ઉજળો હોવો જોઈએ. માણસ જે આપે છે, તે જ તે પામે છે. જીવનની રમત એ બૂમેરંગની રમત છે. માણસના વિચારો, કાર્યો અને શબ્દો મોડા વહેલા પણ અદ્ભુત ચોકસાઈથી તેના ભણી જ પાછા વળે છે. આજ કર્મનો નિયમ છે. ઈશ્વરનો અનુગ્રહ: આપણે માનવી તરીકે જન્મ્યાં, ખોડખાંપણ વિનાના, અધૂરપ કે પંગુ કે અંધ નથી જન્મ્યાં, ગાંડા નથી જન્માં, તેના અનુગ્રહનો ક્યારે સ્વીકાર કર્યો છે? આપણને જીવલેણ રોગ નથી થયો, બે ટંક રોટલો રોજ મળી રહે છે. તેનો અનુગ્રહ રોજ સેવીએ છીએ ખરાં? આજે માથું નથી દુખ્યું, અકસ્માત નથી થયો, તાવ નથી આવ્યો, તેનો અનુગ્રહ અનુભવીએ છીએ ખરા? રાતે સૂતા પછી સવારે જીવતા જાગીએ છીએ, તેનો અનુગ્રહ-એહસાસ થાય છે ખરો? ઈશ્વરને કૃતજ્ઞ થઈ અપાર અનુકંપા માટે સલામ કરી થેંકયુ કહીએ છે ખરા? માણસે દરરોજ પોતાના આચરણની પરીક્ષા કરતાં રહેવું જોઈએ. તપાસતાં રહેવું જોઈએ કે એ આચરણ પશુ સાથે સરખાવાય એવું છે કે સજજનોની સાથે. માણસે પોતાનું દરેક કાર્ય તે ભયમાંથી ઉદ્ભવે છે કે શ્રદ્ધામાંથી તે તાપસતાં રહેવું જોઈએ. સામાન્યત: તંદુરસ્તીતના ચાર પ્રકાર લેખાવી શકાય. શારીરિક તંદુરસ્તી: માત્ર દુ:ખનો અભાવ એ સુખ નથી. માત્ર રોગની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy