SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ કે એનું દમન કરવાને બદલે ઉર્ધ્વીકરણનો માર્ગ ચીંધ્યો. ઉધ્વીકરણ (Sublimation) એટલે આદિમ વૃત્તિઓ, સાંસારિક અભીપ્સાઓ કષાયોમાંથી મન અનાસકતભાવે વાળી લઈ કોઈપણ સર્જનાત્મક અને સંસ્કારી પ્રવૃત્તિમાં રોકવું. ફ્રોઈડના મત પ્રમાણે કલાકૃતિનું સર્જન, વૈજ્ઞાનિકનું ઉત્કંઠ મન, ચિત્રકાર, સંગીતકાર કે શિલ્પકારની કલામય સૃષ્ટિ, કવિ કે લેખકના કલ્પનો, એ સર્વ ઉર્વીકરણના આવિષ્કાર છે. માનવ શકિતનું ઊંચામાં ઊંચું સ્થાન એટલે સર્જનાત્મકતા. કોઈપણ કલાકાર તરંગી જ હોય, તો જ સર્જન કરી શકે. આ સર્જનાત્મકતા તંદુરસ્ત તન અને મનનું તેમજ આયુષ્યનું પ્રબળ કારણ હોય છે. ૧૧૯ કુત્સિત વૃત્તિઓનો આવેગ, જાતિયતાની ઉર્જાને આપણે માત્ર સર્જનાત્મક પ્રવૃત્તિ તરફ નહિ, પણ આધ્યાત્મિક પ્રવૃત્તિ તરફ પણ વાળી શકીએ. વીજળી જેવી આ શકિતઓ છે. એનાથી બાળી પણ શકાય અને પ્રકાશ પણ મેળવી શકાય. તમામ સંશોધનો આધ્યાત્મિકતાને ઉંબરે આવીને થંભી જાય છે. પૂર્વજન્મની ભીતરમાં : પૂનર્જન્મ નથી, એવા સિદ્ધાંતમાં પશ્ચિમના વૈજ્ઞાનિકો અને ચિંતકોની શ્રદ્ધા ડગતી જાય છે. અનેક પ્રયોગો દ્વારા પૂનર્જન્મ છે, એ પૂરવાર કરવામાં પશ્ચિમના વૈજ્ઞાનિકો સફળ થયા છે. ખલિલ જિબ્રાન ખ્રિસ્તી હતા અને પૂનર્જન્મમાં માનતાં હતા. અત્યાર સુધી અવગણના પામેલા પુનર્જન્મના સિદ્ધાંતનો મનોવૈજ્ઞાનિકો ભય તેમજ અન્ય માનસિક બિમારીના ઈલાજ માટે ઉપયોગ કરી રહ્યા છે: પશ્ચિમ જર્મનીના મનોચિકિત્સક ડો. હેઈડે ફિતાકાઉએ આ દિશામાં વ્યાપક સંશોધનો કર્યા છે. તાજેતરમાં તેઓ ભારત આવ્યા ત્યારે કેટલાંક તારણો રજુ કરતાં તેમણે કહ્યું હતું કે દર્દીના ભૂતકાળની સમીક્ષા કે હિપ્નોટીઝમ દ્વારા જેમ ભૂતકાળની ઘટનાની યાદ તાજી કરાવી બિમારીનું કારણ શોધી શકાય છે, તેમ ઘણીવાર મનમાં પેસી ગયેલા ડરનું કારણ તેની પાછલી જિંદગી-પૂર્વજન્મમાંથી પણ જાણી શકાય છે. તેમણે તારવ્યું છે કે એક જન્મમાં બનેલી ઘટનાની અસર પછીના જન્મોમાં પણ જોવા મળે છે. એક દર્દીને લોહી જોવાથી જ ડર લાગ્યા કરે. ચિકિત્સામાં જણાયું કે આગલા જન્મમાં આ દર્દીની કરપીણ હત્યા થઈ હતી! મૂળ કારણ જાણ્યા પછી એની ચિકિત્સા કરવામાં આવી. બેહોશીની અસરવાળા દર્દીઓની તપાસમાં તુર્કીના એક ગામના ૩૦ બાળકોના હાથ થરાયેલા સર્વેક્ષણમાં પૂવર્જન્મના પૂરાવા સાંપડયા હતા. આ બાળકો વિચિત્ર રીતે વર્તતા હતા. કબ્રસ્તાનના પત્થરો પર ગુમસુમ બેસી રહેતા, અને ઘણા વર્ષો પહેલાં નાશ પામેલા નજીકના એક ગામના ખંડિયેરો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy