SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ આચાર્ય અમિતગતિએ ચાર ભાવનાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું છે: सत्वेषु मैत्री, गुणीषु प्रमोदय, किलस्टेषु जीवेषु कृपा परत्वम् । माध्यस्थ भाव विपरीत वृतो, सदा ममात्मा विद्धातु देव ॥ અર્થાત્ : પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રી હો, ગુણીજનો પ્રતિ પ્રમોદ હો, દુ:ખીઓના પ્રતિ કરુણા હો અને દ્વેષભાવ રાખનાર પ્રત્યે માધ્યસ્થ ભાવ-સમભાવ હો ! દયાહીન માનવીનું જીવન શુષ્ક હોય છે અને આવા માનવીઓ માથાના દુ:ખાવાનો ભોગ બને છે. જેને કોઈ પ્રત્યે મૈત્રીભાવ નથી, એનું જીવન કંટાળાજનક બની જાય છે, એ પણ વિવિધ રોગોને આમંત્રી બેસે છે. જેને નાનપણમાં હૂંફ નથી મળી હોતી, તરછોડાયેલાં હોય છે, તેઓ અસલામતીની ભાવનાથી ગ્રસ્ત હોય છે, ભયભીત હોય છે અને કાલ્પનિક માંદગીની અતિશયોક્તિભરી વાતોમાં રસ લેતા થઈ જાય છે. Hypochondriac બની જાય છે. ડોકટરોની વણઝાર પાછળ ભટકે છે. એમનો હેતુ સારવારનો નથી હોતો... પણ હૂંફ અને સહાનુભૂતિ મેળવવાનો હોય છે. પોતાની વેદના કોઈ સાંભળે, હમદર્દી દર્શાવે, આશ્વાસન આપે, બે મીઠા બોલ બોલે, એ જ હોય છે. પીટસ્બર્ગ યુનિવર્સિટીના ડોકટર વિલિયમ ઓગષ્ટને આવા દર્દીઓનું ગ્રુપ સર્વેક્ષણ કર્યું જેમાં એક વાત નિર્વિવાદ જણાઈ કે આવા દર્દીઓ- બધા જ દર્દીઓ માતાઓથી તરછોડાયેલાં હતાં! ઘણાખરા કિસ્સાઓમાં ડોકટર જેટલી માત્રામાં દર્દીને સાજા કરવાનો પ્રયાસ કરે છે. તેટલી જ માત્રામાં દર્દીનો ‘પારો’ ઊંચે ચઢે છે. મનોવૈજ્ઞાનિક સમજણ કે ખુલાસા દર્દી સ્વીકારવા જ તૈયાર નથી હોતો. કે આવા દર્દીના શારીરિક લક્ષણો કોઈ ચોકકસ નીતિ-નિયમોને અનુસરતાં નથી. કોઈ ખૂબ રહસ્યમય રીતે એનાં લક્ષણો શરીરના એક અવયવ પરથી બીજા અવયવો પર અડ્ડો જમાવે છે. ‘ડીસ્પ્લેસમેન્ટ’... એક પ્રકારની બેચેનીને પીડાનું નામ આપી હમેશા દર્દી અતિશયોકિત ભરી વેદનાની દાસ્તાન વર્ણવતો હોય છે. પરંતુ ડોકટર અને દર્દી વચ્ચે બૉલરૂમના ડાન્સની જેમ ઠરાવિક પગલાં ‘Steps' ગોઠવાઈ જાય છે.! પ્રથમ તો દર્દીના આગ્રહ અને આક્રંદને વશ થઈ ડોકટર પૂરી ચકાસણી અને પરીક્ષણ હાથ ધરે છે. પછી બધા પ્રકારના ઉપચારો એક પછી એક શરૂ થાય છે. દરેક ઉપચાર પછી દર્દીને થોડુંક સારૂં લાગે છે. પણ પછી એની હાલત ઊલટી બગડવા માંડે છે. બધા સંભવિત ઉપાયોની અજમાયેશ બાદ ‘કોઈ ફાયદો થયો નહિં એવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy