________________
ૐ મહાવીરાય નમ:
માંગલિક વારસો
સમયનાં વિશાળ ફલક પર એશિયાખંડ - તેમાં મુખ્યત્વે ભારતે અનેક તીર્થંકરો, સંતો, મહર્ષિઓ, તત્ત્વચિંતકો, યોગીઓ, સાધકો, યુગપ્રવર્તકો અને શાસ્ત્રવેત્તાઓની જગતને ભેટ આપી છે. પુણ્યપુરુષોનો અમૂલ્ય વારસો હજી ક્રિયામાણ છે.
ન
વારસાનાં ચાર પ્રકારમાં શારીરિક, સાંપત્તિક અને સાંસ્કૃતિક વારસા સ્થૂળ ઈન્દ્રિયોથી ગમ્ય છે. જયારે ચોથો વારસો છે : આધ્યાત્મિક મંગલસ્વરૂપ વારસો. આ માંગલિક વારસો ન હોય તો ત્રણ વારસાઓથી સાધારણ જીવન જીવાય પણ તેથી કોઈ ઉચ્ચ પ્રકારનું - ધન્ય જીવન ન બને. એ જ આ ચોથા વારસાની વિશેષતા છે. જે માણસને પ્રજ્ઞા - ઈન્દ્રિય પ્રાપ્ત હોય, જેનું સંવેદન સૂક્ષ્મ અને સૂક્ષ્મતર હોય, તે જ આ વારસાને ગ્રહણ કરી શકે છે. બીજાં વારસાઓ જીવન દરમ્યાન કે મૃત્યુ સમયે નાશ પામે છે. જયારે માંગલિક વારસો કદી નાશ પામતો નથી. એક વાર એ ચેતનામાં પ્રવેશ્યો એટલે જન્મજન્માંતર ચાલવાનો; એનો ઉત્તરોતર વિકાસ થવાનો, અને તે અનેક જીવોને સંપ્લાવિત - તરબોળ કરવાનો.
આપણે કોઈ એવી પરંપરામાં જનમ્યાં છીએ કે જન્મતાંવેંત જ આવા માંગલિક વારસાનાં આંદોલનો આપણને જાણે - અજાણે સ્પર્શે છે. આપણે તેને ગ્રહણ ન કરી શકીએ; યથાર્થરૂપમાં સમજી ન શકીએ, કદાચ એમ પણ બને. પણ આ માંગલિક વારસાનાં આંદોલનો, સંતો - તીર્થંકરોનાં સહવાસી પુદ્ગલ - પરમાણુઓ આપણી ભૂમિમાં સહજ છે.
अग्नो प्राप्तं तुं पुरुषं कर्मन्वेति स्वयंकृत्तम् ।
तस्मात् पुरुषो यत्नाद् धर्म संचिनुयाच्छनः ॥
અર્થાત્ : અગ્નિદાહ પ્રાપ્ત મનુષ્યની સાથે કેવળ એના સંચિત કર્મો જ જાય છે. તેથી માણસે પ્રયત્નપૂર્વક સુકૃત્યો (ધર્મ) નો સંચય કરવો ઘટે.
• મહાભારત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org