SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ આ વાતો નથી આપતી? આજે પરામનોવૈજ્ઞાનિક પોતાના સંશોધનકાર્યમાં માનવમનની અતીન્દ્રિય જ્ઞાનશક્તિનો ઉપયોગ કરી રહ્યો છે. તેથી ઈન્દ્રિયોની પહોંચની બહારના જગતમાં પણ હવે વિજ્ઞાન પ્રવેશવા માંડયું છે. એલેકઝાંડર કેનન કહે છે. પૃથ્વી માત્ર ભૌતિક દેહધારીઓથી વસેલી છે એવું નથી, પણ અન્ય સૂકમ- “એલ'' અને ઈથીરિક- દેહધારીઓનો પણ એના ઉપર વાસ છે. ચેતનાના અન્ય સ્તરોના અસ્તિત્વનો અને એકબીજામાં ઓતપ્રોત પણ પરસ્પર જ્ઞાન-સંપર્ક વિનાની એકની અંદર બીજી દુનિયાના અસ્તિત્વનો માત્ર નિર્દેશ જ નહિં, પણ કશી પણ આશંકાને અવકાશ જ ન રહે એવી પ્રતીતિ પણ મને મળી છે. 9. Thomas Sugrue 'There is a river's 2013 Sailaj G92462. 2. Noel Langley. Edgar Cayce on Re-incarnation (Warner Books. New York 1967) 3. Jess Stearn. Edgar Cayce- The sleeping Prophet (Bantam Books, New York). આમ પુનર્જન્મ અને દેવલોક વગેરે બાબતોને પરામનોવિજ્ઞાન હવે નિષ્ઠાપૂર્વક તપાસવા લાગ્યું છે. આ તપાસનો પ્રાથમિક અહેવાલ પણ આશ્ચર્યજનક રીતે પ્રાચીન સિદ્ધાંતોનો સમર્થક નીવડ્યો છે, ત્યારે આ શોધખોળના અંતે કેવાં રોમાચંક પરિણામો આવશે? આશા રાખીએ કે એ સમય વહેલો આવે. બે જન્મની વચ્ચે : પુનર્જન્મ માનનારા દરેક દર્શનની સામે અંતરાલગતિ સંબંધી પાંચ પ્રશ્નો ઉપસ્થિત થાય છે : ૧. જન્માાર માટે અથવા મોક્ષ માટે જ્યારે જીવ ગતિ કરે છે ત્યારે, અર્થાત અંતરાલગતિના સમયે સ્કૂલ શરીર ન હોવાના કારણે, જીવ કેવી રીતે પ્રયત્ન કરે છે? ૨. ગતિશીલ પદાર્થ ગતિ કરે છે તે ક્યા નિયમથી? ૩. ગતિકિયાના કેટલા પ્રકાર છે? ક્યા ક્યા? જીવ કઈ કઈ ગતિક્રિયાના અધિકારી ૪. અંતરાલગતિનું જઘન્ય અથવા ઉત્કૃષ્ટ કાલમાન કેટલું? તે કાલમાન કયા નિયમ પર અવલંબિત છે? ૫. અંતરાલગતિના સમયે જીવ આહાર ગ્રહણ કરે છે કે કેમ? જો નથી કરતો, તો જઘન્ય અથવા ઉત્કૃષ્ટ કેટલા સમય સુધી ? અને અનાહારક સ્થિતિનું કાલમાન ક્યા નિયમ ઉપર અવલંબિત છે? આત્માને વ્યાપક માનનારા દર્શનોને પણ આ પાંચ પ્રશ્રો ઉપર વિચાર જમ પુનર્જન્મ - ૪૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005292
Book TitleJanma Punarjanma
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherShantaben Nemchand Gala
Publication Year1992
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy