SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યોતિષશાસ્ત્રની માન્યતા એક માન્યતા એવી છે કે જ્યોતિષશાસ્ત્રની રચના ઋષિમુનિઓએ “એટલા માટે કરી છે, કે તે પરથી વ્યક્તિના પ્રારબ્ધમાં શું છે, તે તે જાગી શકાય, તેમજ વ્યક્તિને જો કોઈ પ્રતિફળ સંજોગો હોય, તો ગત જન્મના ક્યા દોષથી તે થયા છે, તે જાણી તેનો ઉપાય કરે. આ પદ્ધતિને કર્મવિપાક કહે છે. ગત જન્મના પાપોને કારણે દુ:ખ આવે, તેના નિવારણ અર્થે મંત્રશાસ્ત્રની રચના કરી છે. મંત્રથી દોષને દૂર કરી શકાય, એટલું જ નહિં પાગ પ્રારબ્ધની સમય મર્યાદા ટૂંકી કરી શકાય છે. ૫ કે ૫૫ મે વર્ષે લાવ્યોગ હોય, તો મંત્રવિદ્યાથી જલ્દી પાણી મેળવી શકાય. ગત જન્મમાં લોકો તપવી, સાધક કે ભક્ત હોય, તે જ્યોતિષશાસ્ત્ર દ્વારા જાણી શકાય છે. ગત જન્મની સ્મૃતિ તેમને નથી હોતી, પણ શક્તિનો પ્રતાપ પ્રત્યક્ષ હોય છે. પૂર્વજન્મના ક્યા પુણ્યબળે આ ભવમાં સમૃદ્ધિ પ્રાપ્ત થઇ, તે પણ આ શસ્ત્ર દ્વારા જાણી શકાય છે. કુંડલીનું પાંચમું સ્થાન પૂર્વના સંચિત કર્મનું પણ રસ્થાન છે. જે પરથી પૂર્વભવ જાણી શકાય છે. નવમું સ્થાન આવતા ભવનો સંકેત આપી શકે. આ ભવે ગયા ભવની જ પત્ની પત્ની સ્વરૂપે મળશે એની આગાહી જ્યોતિષશાસ્ત્ર કરી શકે છે. તેમ જ મૃત્યુ પામેલા, કુટુંબીજન ફરી કુટુંબમાંજ જન્મ લેશે, તે પણ કહી શકાય છે. શાસ્ત્રાધાર વિના આવી ઘટનાની આગળથી જાગ થઈ જાય છે. એવા કિસ્સા મારા અનુભવમાં છે. - જયોતિષશાસ્ત્રનો આધાર જ પુનર્જન્મની યંત્રણા છે. કારાગ પ્રારબ્ધની વ્યાખ્યા જ આ પ્રમાણે છે : “ગત જન્મના કર્મનું વાવેલા વૃક્ષનું પાકું ફળ, તે આ જન્મનું પ્રારબ્ધ.' વ્યકિતની કુંડળીમાં મકરનો મંગળ અને તુલાનો શનિ હોય. તો પછીનો ભવ તો મનુષ્યનો જ હોય, પણ સાત જન્મો સુધી પણ મનુષ્યનો ભવ આવી શકે, અને મોક્ષ પ્રાપ્તિ પણ થઈ શકે. બે માંથી એક હોય, તો આવતો ભવ મનુષ્યનો હોય; અષ્ટમ આયુષ્યસ્થાનમાં કે જન્મલગ્ન - પ્રથમ સ્થાનમાં જો, પાપગ્રહ, નીચગ્રહ હોય અથવા એ સ્થાનો પર પાપગૃહ કે નીચ ગ્રહની દ્રષ્ટિ હોય, તો બીજે ભવ પ્રાણીમાત્રાનો - પ્રાણીનો હોય, તિર્યંચ ગતિ હોય. આ બધી શાસ્ત્રોની માન્યતાઓ છે. જુદા જુદા ફાંટાઓ પણ એ વિષે એકમત નથી થતાં. કર્મો કરતાં પુરુષાર્થનુ બળ અનેકગણું છે. પ્રારબ્ધ ને ભરોસે જન્મ પુનર્જન્મ ૧૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005292
Book TitleJanma Punarjanma
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherShantaben Nemchand Gala
Publication Year1992
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy