SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ‘હુ આત્મા છું. શરીરાદિનો સાક્ષી છે, એ વૃત્તિમાં સ્થિર થઈ, સર્વસંકલ્પવર્જિત પરમાત્માની ભાવના કરવી. (સમાધિતંત્ર શ્લોક ૨૭) જ્ઞાનાર્ગવના કર્તા શ્રી. શુભચંદ્રાચાર્ય, તથા યોગશાસ્ત્રમાં હેમચંદ્રસૂરિ મહારાજે પાણ સ્વાનુભવના રાગકા સાથે આ જ વાત કરી છે. (જ્ઞાનાર્ણવ સર્ગ ૩૨, લોક ૧૦, યોગશાસ્ત્ર, પ્રકાશ ૧૨, કલોક ૬-૧૨) દેહભાવ, આસક્તિ, તૃણગા વગેરે નિર્મૂળ કરવા સર્વ કાળના જ્ઞાનીઓએ એક જ અનુરોધ કર્યો છે. જેમ સોક્રેટિસે કહ્યું "KNOW THYSELF જાતને ઓળખો ‘માત્માના વિદ્ધ’. જ્ઞાનના પ્રકાશ સાથે કરોડો વર્ષોનો અંધકાર દૂર થાય છે. તૃણગા અને આસકિત ટળે છે. માનવી અહીંજ મુકિતનો આસ્વાદ પામી શકે છે, ઈશુએ કહ્યું Know the Truth and Truth Shall Make you Free. (John 8:32) જૈન દર્શનમાં પણ જ્ઞાનનો અગાધ મહિમા છે. શંકરાચાર્ય કહ્યું. જ્ઞાન વિના સેંકડો ભવે પગ મુકિત નથી'. (ભજગોવિંદમ કલોક ૧૩). જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મનો ખેદ; પૂર્વકોડી વરસાં લગે, અજ્ઞાની કરે તેહ. (અધ્યાત્મસાર, આત્મનિયાધિકાર, ૧૬-૬૩), કટ કરો સંજમ ધરો, ગાળો નિજ દેહ, જ્ઞાનદશા વિાગ જીવને, નહિં દુ:ખનો છે. (ઉપા. યશોવિજયજી સવાસો ગાથાંનું સ્તવન ઢાળ ૩, ગા. ૨૩.). સાચું જ્ઞાન થતાં ચિત્તનો કચરો ધોવાતો જાય છે, તેથી શાસ્ત્રજ્ઞાનને નહિ, પણ ચિત્તની નિર્મળતાને જ્ઞાનનો માપદંડ કહી શકાય. ચિત્તની શુદ્ધિ, સમતા અને નિ:સ્પંદતા આ ત્રણ જ્ઞાનના ઉત્તરોત્તર ઉઘાડ સાથે આવતી ત્રણ અવસ્થાઓ છે, જેને જેના પરિભાષા મનોગુપ્તિ શબ્દમાં આવરી લે છે. મન ગુપ્તિ એ જ્ઞાનની કસોટી છે. મનની પરવશતામાંથી મુક્ત થઈ જવું એ છે મુક્તિ. અર્થાત જ્ઞાનની પરિપૂર્ણતા. જ્ઞાનીએ શું નથી મેળવ્યું? અજ્ઞાનીએ શું નથી ખોયું? સંપત્તિની આપણે સંભાળ રાખવી પડે છે. જ્યારે જ્ઞાન આપણી સંભાળ લે છે. જ્ઞાનનું ફળ છે : વિરતિ. સૂત્રોમાં કહ્યું છે : જ્ઞાનેન નો જ્ઞાનથી જ મોક્ષ છે. નાગેશં જગઈ ભાવે, દંસગ ય સહે ચરિત્તેગ નિગિણહાડ, તોગ પરિમુજઝઈ અર્થાત : તમામ ભાવોને જ્ઞાન વડે જાણવા જોઈએ અને સાચા ભાવો જન્મ પુનર્જન્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005292
Book TitleJanma Punarjanma
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherShantaben Nemchand Gala
Publication Year1992
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy