SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ અને રૂપકથી ભરપૂર સુત્રોના કર્તા, ફિલસૂફ માનતો કે તમામ વસ્તુઓ સનાતન ગતિ અને પરિવર્તનશીલ હોય છે. Being is a perpetual Becoming. એનું પ્રસિદ્ધ સૂત્ર હતું કે તમે એક જ પાણીમાં બે વાર ભૂસકો ન મારી શકો. હિરાલિકટસ અને પારમોનીડસ તદ્ન સામસામેના છેડાના વિચારકો હતા. પાયથાગોરસ : (ઈ. સ. પૂર્વ ૫૮૦ ૫૦૦) પાયથાગોરસ થીએરમ થી જાણીતા ગણિતજ્ઞ અને તત્ત્વજ્ઞ ભારતમાં રહ્યાં હતા. શ્રમણ પરંપરાનો સારો અભ્યાસ હતો. શાકાહારથી પ્રભાવિત થયા. પાછા જઈ શાકાહારનો પ્રચાર કર્યો. પાયથાગોરસ પુનર્જન્મમાં માનતા હતા અને ભૂતકાળનાં જન્મ વિષે તેઓ સ્મરણશક્તિ ધરાવે છે. એવો તેમનો દાવો હતો. પાયથાગોરસ તત્ત્વજ્ઞાનના આધ્યાત્મિક સિદ્ધાંત, જીવનું ભ્રમણ, કર્મના સિદ્ધાંત વગેરેમાં માનતા. અમુક શાકભાજીને પણ તે નિષિધ્ધ ગણતા. સોક્રેટિસ : (જન્મ ઈ. સ. પૂર્વ ૪૬૯) સત્યાગ્રહી, તત્ત્વજ્ઞાનનો મહર્ષિ અને પ્રથમ શહીદ. લોકો અને શાસકો એના એકેશ્વરવાદ સામે પણ છંછેડાયાં હતાં. બધા અનેકેશ્વરવાદી હતા. સોક્રેટિસને જતો જોઈને ‘એકેશ્વરવાદી નાસ્તિક' કહી મજાક ઉડાવતા. એનું પ્રથમ સૂત્ર હતું Know Thyself : તારી જાતને ઓળખ ‘ગ્રોધિ સ્વતોન’. એ કહેતો, હું એટલું તો જાણું છું કે હું કાંઈ જાણતો નથી. ટોળાંશાહીએ મુકો ચલાવી દેહાંતદંડની સજા કરી. ઝેર પી સોક્રેટિસ અમર થઈ ગયો. પ્લેટો-અફલાતૂન : (ઈ. સ. પૂર્વ ૪૨૧-૩૪૧) સોક્રેટિસનો પરમ શિષ્ય. ‘ડાયાલોગ્સ' અને રિપબ્લીકના રચયિતા. સોક્રેટિસના મૃત્યુ પછી બાર વર્ષ ભ્રમણ કર્યું. મિસર, ઈટલી ઉપરાંત કહેવાય છે કે ભારત આવ્યો હતો. ઈ.સ. પૂર્વ ૩૮૧ માં એથેન્સ પાછો ફર્યો. એનું પ્રસિદ્ધ સુત્ર: તત્ત્વજ્ઞાની રાજા હોવો જોઈએ અને રાજા તત્ત્વજ્ઞાની હોવો જોઈએ. ન્યાય, સમાજ વ્યવસ્થા, શિક્ષણ, રાજ્યશાસન વગેરે વિષયો પર ઊંડુ ચિંતન કર્યું. પ્લેટો પુનર્જન્મમાં માનતા હતા. અમૂર્ત પ્રેમ એ જ સાચું તત્ત્વ છે. આજે પણ અમૂર્ત પ્રેમ ‘પ્લેટોનિક લવ' કહેવાય છે. Plato's threefold division of the soul (Republic IV) into Rational, the spirited or concupiscent, and the temperate. These are reconciled by Justice and Righteousness. Plato may have arrived at his conclusion through Indian Philosophy. એરિસ્ટોટલ : (ઈ. સ. પૂર્વ ૩૮૪ — ૩૨૨) ― પ્લેટોનો અતિ પ્રતિભાવંત તેજપુંજ જેવો શિષ્ય, સિકંદરનો શિક્ષક. જન્મ પુનર્જન્મ ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005292
Book TitleJanma Punarjanma
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherShantaben Nemchand Gala
Publication Year1992
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy