________________
પૂર્વભવો ત્રિપૃષ્ઠ વાસુદેવનું ચરિત લખ્યું છે તેમાં ત્રિપૃષ્ઠના પૂર્વભવમાં તેના વિશ્વનંદીરૂપે પૂર્વભવની ચર્ચા કરે છે. પણ તેને સંબંધ છેક મરીચિ સુધી જોડતા નથી (૫૭. ૬૮-૮૫ ૫૭ ૯૮) એ સૂચક છે. પરંતુ આશ્ચર્ય છે કે એ જ આચાર્ય ગુણુભક આગળ ચાલી ૭૪મા પર્વમાં ભગવાન મહાવીરના ચરિતમાં પૂર્વભવો ગણાવ્યા છે અને પુનઃ તેની સંકલના ઉ૬મા પર્વમાં પણ કરી છે. તે જોવાથી એટલું તે નક્કી થાય છે કે મરીચિ એ તેમને મતે ભ.મહાવીરને પૂર્વભવ છે અને ત્રિપૃષ્ઠ પણ ભગવાન મહાવીરને પૂર્વભવ છે. વળી જિનસેને ભાવી તીર્થંકરવિષેની આગાહીની નોંધ લીધી નથી પરંતુ ગુણભદ્ર તે આગાહીની નોંધ લીધી છે. ફેર એ છે કે તેમાં ત્રિપૃષ્ઠ મરીને જ્યારે સિંહ થાય છે ત્યારે તે સિંહને એક ચારણમુનિ જણાવે છે કે મેં શ્રીધર તીર્થંકર પાસેથી સાંભળ્યું છે કે તું આજથી દશમે ભવે અંતિમ તીર્થંકર થઈશ. (૭૪.૨૦૪) શીલાંકના ચઉ.માં પણ સિંહની કથા પ્રસંગે આવી આગાહી કરવામાં આવી છે. (પૃ. ૧૦૦) અને તે જ કથામાં મરીચિથી માંડી મહાવીરના ત્રિપૃષ્ઠ સુધીના ભાવ પણ ગણુવ્યા છે. (પૃ. ૯૭).
આચાર્ય ગુણભદ્ર ઉત્તર પુરાણમાં જે પ્રમાણે ભ.મહાવીરના પૂર્વભવોનું નિરૂપણ કર્યું છે તેની અહીં નોંધ લઈ લઈએ. તેમણે પણ જ્યારથી મહાવીરને જીવે અનેક ભ કર્યા પછી માનુસારી બને છે ત્યારથી પૂર્વભવોની નોંધ લીધી છે તે આ પ્રમાણે છે.
૧. પુરૂરવા (૭૪.૧૪–૨૧) ૨. સૌધર્મદેવ (૭૪.રર) ૩. મરીચિ (19૪.૨૨-૬૬) ૪. બ્રહ્મમાં દેવ (ઉ૪.૬ ૭) છે. 'જટિલ પરિવ્રાજક (૭૪.૬૯) ૧. સૌધર્મદેવ (૭૪.૬૯) ૭. પુષ્યમિત્ર પરિવ્રાજક (ઉ૪.99–કર) ૮. સૌધર્મદેવ (૭૪ ૭૩) ૮. ૩અગ્નિસહ પરિવ્રાજક (૭૪ ૭૪–૭૫)
૧. આ.નિ.માં કૌશિક ૨. આ.નિ.માં તિય“ચ આદિ અનેક ભવો. ૩. આનિ માં અગ્નિહોત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org