SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકરચરિતની માતૃકાઓનું મૂળ આવશ્યકનિયુક્તિગત માતૃકા (૨) તીર્થકરચરિતની માતૃકાઓ આગળ જણાવવામાં આવી છે. પરંતુ એક બીજા પ્રકારની માતૃકા પણ આવશ્યકનિયુક્તિમાં મળે છે. અને તે જિન = તીર્થંકર, ચક્રવતી અને વાસુદેવ એ ત્રણનાં સંમિલિત ચરિતની. અર્થાત એમ કહી શકાય કે માત્ર તીર્થકરોની જ નહિ પણ જ્યારે તેમની સાથે અન્ય ઉત્તમ પુરુષોની પણ કલ્પના કરવામાં આવી ત્યારે તેમનાં ચરિતેના નિરુપણ માટે જે માતૃકા બની તે આ હતી. (આવનિ. ગા. ૨૯૪ વિ. ગા. ૧૭૩૯) ૧. વર્ણ ૫. આયુ ૨. પ્રમાણ ૬. નગર ૩. નામ ૭. માતા-પિતા ૪. ગોત્ર ૮. પર્યાય ૯. ગતિ આવશ્યકનિયુક્તિગત–(ભગવાન મહાવીરચરિતની) માતૃકા (૩) આવશ્યકનિયુક્તિમાં ભગવાન મહાવીરચરિતની માતૃકાઓ આપવામાં આવી છે તે આ પ્રમાણે છે. (ગા. ૩૪૧, વિ. ગા. ૧૮૨૨) – ૧. સ્વનિ ૮. ભીષણ ૨. અવહાર ૯. વિવાહ ૩. અભિગ્રહ ૧૦. અપત્ય ૪. જન્મ ૧૧. દાન ૫. અભિષેક ૧૨. સંબોધન ૧૩. નિષ્ક્રમણ છે. સ્મરણ આની તુલના કલ્પસૂત્રગત અન્ય તીર્થકરચરિતની સાથે કરવામાં આવે તે મૂળમાં માતૃકાઓ કેટલી હશે તેને આ છે ખ્યાલ આવી શકે છે. પઉમચરિયની માતૃકાઓ : હવે “વમવરિjમાં (૨૦ મો ઉદેશ) જે માતૃકાઓ છે તેની સૂચી જોઈએ. પદ્મચરિતમાં પણ આવી સૂચી ૨૦ મા પર્વમાં છે. આમાં કેવલ તીર્થકર જ નહીં, પણ ચક્રવતી આદિને પણ સાંકળી લેવામાં આવ્યા છે. આવી સંકલન કલ્પસૂત્રમાં નથી તે ધ્યાનમાં રાખવું જરૂરી છે. ૧. પાછરિતમાં પણ આવી સૂચી ૨૦ મા પર્વમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy