SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ગોશાલક પ્રસંગ ૧૩૩ અહીં ગોશાલક–મહાવીરને પ્રથમ સં૫ર્ક થયો છે. આ પૂર્વે' ભ. મહાવીરને દીક્ષા પછીનાં ૧૩ માસ પિષ માસમાં જ પૂરા થયા હતા અને તેમણે વસ્ત્ર છોડી દીધું હતું. આથી ગોશાલકના સંપર્ક પછી ભ. મહાવીર અચલક-નગ્ન બની ગયા હતા–એમ સિદ્ધ થઈ શકે નહિ.' - ગોશાલક મતમાંથી જન સંપ્રદાયમાં શું શું સ્વીકારવામાં આવ્યું છે તે માત્ર કલ્પનાનો જ વિષય બની શકે. ગોશાલકના કોઈ ગ્રન્થ વિદ્યમાન નથી એટલે તેમના મત વિષે જેન–બૌદ્ધગ્રન્થોના ઉલ્લેખોને જ આધાર લેવો પડે. અને તેને આધારે જ તુલના થઈ શકે. - પાલિપિટક અને જૈન સૂત્રગ્રન્થમાં ગે શાલકની અનેક હકીકતે આવે છે તેથી એટલું તે નિશ્ચિત છે કે તે ભ. મહાવીર અને બુદ્ધના સમકાલીન મહાપુરુષ હતા. અને તેમને મત તે કાળે ઠીકઠીક પ્રતિષ્ઠિત હતા. અને પછીના લાંબા કાળ સુધી એ મત જીવિત પણ રહ્યો છે. આશ્ચર્ય છે કે દિગંબર પરંપરામાં ભ. મહાવીર સાથેના ગોશાલકના સંપર્કની કેઈ ચર્ચા નથી. એથી દિગબર આચાર્યો પાસે આ વિષેની કઈ પરંપરા સુરક્ષિત નહીં હોય એમ માનવું પડે છે. અને એમ પણ માનવું પડે છે કે ભ. મહાવીરચરિત વિષે જે કાંઈ સાહિત્ય લખાયું છે ત્યારે દિગંબને ઉત્તરભારત સાથે સંપર્ક ઉત્તરોત્તર ઘટી રહ્યો હશે. - તાત્વિક મતભેદ જે બનેમાં હતા તે વિષે આગળ ઉપર ચર્ચા કરવાની હોઈ અહીં તે વિષે વિવેચનની આવશ્યકતા નથી. ભગવતી અને આવશ્યક ચૂર્ણિમાં ગેસલક જીવનના અનેક પ્રસંગ છે જેમાં ગોશાલકને હલકે દેખાડવાનો પ્રયત્ન છે–એને ઇન્કાર થઈ શકે તેમ નથી. અને આનું કારણ વિવિધ તેથિકેમાં તે કાળે જે વૈમનસ્ય હતું તે તે છે જ. પણ ગ્રન્થકારેને ન્યાય આપવા એટલું પણ ઉમેરવું જોઈએ કે ગોશાલકના ચરિતમાં એવું તે કાંઈક હશે જ જેને લઈને ભ. બુદ્ધને તે કાળના અન્ય સૈથિ કેની તુલનામાં ગોશાલકને સૌથી હીનકેટિને બતાવવા પ્રયત્ન કરવો પડ્યો છે. ૧. 3. બશમ અને બીજા એમ માને છે કે પાર્શ્વના શ્રમણ નગ્ન હતા નહી * . અને ભ. મહાવીરે નગ્નતા દાખલ કરી તે ગોશાલક અને બીજા આછવક- * | મૂર્વજોની અસર નીચે હતું –બશમ, હિસ્ટ્રી એન્ડ ડોકટીન ઓફ દી આજી. વિકાઝ,--પૃ. ૧૦૯. ડૉ. બરુઆ તે સ્પષ્ટ કહે છે કે ભ. મહાવીર સાધનાના બીજા વર્ષમાં ગે શાલક સંપ્રદાયમાં ભળી ગયા હતા અને-છ વર્ષ પછી - છિડી ગયા હતા. –ટી. બુ. ૩૭૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy