________________
છસ્થાકાળ ઘટના : કઠોર સાધના
૧૧૯
(૯૩) પરીષહ-ઉપસર્ગો
વ્રણ, શાંત અને અગ્નિ-આપની પીડા, તથા જળ અને મચ્છરની પીડા જેવી નાના પ્રકારની પીડા સમભાવથી સદા સહન કરી છે.–૧ (ચૂર્ણિમાં કહ્યું છે કે પર્વતાકીણ પ્રદેશમાં બહુ શાંત હોય છે.)
વળી દુર એવા લાઠ દેશમાં તેઓ વિચર્યા તેમાં વજભૂમિ તથા સુષ્ણભૂમિમાં વિહાર કર્યો. અને ત્યાં તેઓ એકાંત-દૂરની વસતી અને આસનને પામ્યા ૨.
(ચૂર્ણિકારે લાઢ દેશના વિહારને બહુ ઉપસર્ગવાળે કહ્યો છે. એ લાદ્રદેશના જ બે ભાગ-વજજ (વા) અને સુભ (શુભ્ર) છે એમ પણ જણાવ્યું છે. મૂળમાં પંત' શબ્દ છે. તેનો અર્થ ચૂર્ણિમાં શૂન્યાગાર આદિ કર્યો છે “પત” અર્થાત ભાંગ્યું-તૂટયું એમ પણ કહ્યું છે. આસનની બાબતમાં પણ ચૂર્ણિકારે ધૂલ કાંકરા આદિવાળુ એમ કહ્યું છે પણ આ શબ્દને પાલિમાં પણ પ્રયોગ આ જ પ્રસંગે છે. અને ત્યાં તેને અર્થ છે—distant, remote, solitary, secluded.)
લાદેશમાં તેમને ઘણું ઉપસર્ગો થયા. ત્યાંના લોકોએ તેમને ખેંચી નાખ્યા. ત્યાં ભાત-પાણી પણ લૂખો-સૂકાં હતાં અને વળી કૂતરાઓ પણ તેમને કરડ્યા અને આક્રમણ કર્યું. જ્યારે કૂતરા કરડતા ત્યારે કોઈ જણ તેમને વારતું નહિ. ઊલટું એ શ્રમણને કૂતરા કાપે એ માટે છૂ છૂ કરીને કરડાવતા. ૩–૪.
(ચૂર્ણિમાં લખ્યું છે કે લાઢ દેશમાં નગર હતાં નહિ. ત્યાં વળી લૂંટારા લૂંટ ચલાવતા. વળી કેદના મતે તેઓ દાંતથી લોકો બીજે નોંચી નાખતા. ખાવામાં માત્ર રૂક્ષાહાર અને તે પણ મીઠા વિનાનો અને ખટાઈવાળો. ત્યાં તલ થતા નહિ. કપાસ પણ નહિ તેથી લકે ઘાસથી તન ઢાંકતાં. સ્વભાવે ધી લો કે હતા. ભગવાન પાસે લાકડી તે હતી નહિ એટલે ભૂખ્યા કૂતરા તેમના ઉપર તૂટી પડતા. આવા પ્રદેશમાં ભગવાન છ માસ સુધી વિચર્યા હતા.)
આ પ્રકારની આ વજભૂમિમાં વળી બહુ લેકે લૂખુંચૂકુ ખાનારા હતા. અને શ્રમણે લાઠી અને નાલી લઈને ત્યાં વિહાર કરતા. આમ વિહાર કરવા છતાં કૂતરા તે તેમને કરડતા જ અને નચી ને ખતા–આમ લાઢ એ દુર દેશ હતિ. –૬.
(ચૂર્ણિ અનુસાર દંડ શરીર પ્રમાણથી કાંઈક નાને, લાઠી શરીરપ્રમાણ અને નાલી શરીર પ્રમાણથી ચાર કે તેથી વધારે આગળ ઊંચી હોય છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org