SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ મહાવીરચરિત મીમાંસા –તમે બીજાં બે વર્ષ રહી જાઓ જેથી અમારો શક શાંત થાય. સંબંધીઓની આ વિનંતીનું ઔચિત્ય અવધિજ્ઞાનથી જાણ્યું અને એ તેમણે એ શરતે સ્વીકારી કે તે દરમિયાન તેઓ પિતાની સ્વેચ્છા પ્રમાણે ભેજન આદિ લેશે. અને તે પ્રમાણે તેઓએ શીત જલ અને સચિત્ત ભોજન લેવાનું બંધ કર્યું હતું. એવો પણ એક મત છે કે સ્વયં ભગવાને જ વિચાર્યું કે શેક સંતપ્ત સંબંધીઓ મારા દીક્ષા લેવાથી મૃત્યુ પામશે–આથી બે વર્ષ સુધી દીક્ષા લીધા સિવાય પણ સંયમી જીવન વિતાવવાનું પસંદ કર્યું હતું. શીત જલના ત્યાગી ભગવાન હતા છતાં દીક્ષાભિષેક સમયે તે તેમને સચિત જલથી નવરાવવામાં આવ્યા હતા તેની નોંધ ટીકાકાર લે છે. મારુ કોઈ નથી અને હું કોઈને નથી-આવી ભાવના તે એકત્વ ભાવના છે. આથી તે બે વર્ષ દરમિયાન તેમણે પિતાના બાંધ સાથે પણ અતિ સ્નેહ દેખાડ્યો ન હતો. આ દીક્ષાની તૈયારી માટે જરૂરી હતું. અહીં દર્શન અર્થાત સમ્યકત્વ ખરું પણ ક્યા પ્રકારનું તેમાં મૌકય નથી. ચૂર્ણિમાં લખ્યું છે કે દીક્ષા વખતે તેમને ક્ષાયિક સમ્યકત્વ હતું અને મતાંતરે તે લાપશમિક હતું. ક્ષાયિક સમ્યકત્વ માનનારાની દલીલ એવી છે કે જે દીક્ષા સમયે મન:પર્યાય જ્ઞાન થાય તે તનુરૂપ ક્ષાયિક સમ્યકત્વ માનવું ઉચિત ગણાય. આથી કલ્પના કરી શકાય છે કે દીક્ષા ટાણે તેમને મન:પર્યાયજ્ઞાન થયું આ– અને આવી બીજી માન્યતાઓ ક્રમે કરી સ્થાપિત થઈ છે. અને તે પ્રમાણે પછી બીજી બાબતોની પણ વ્યવસ્થા ગોઠવવી પડી છે). પૃથ્વી, અકાય, તેજઃકાય, વાયુકાય, પનક-સેવાળ બીજ અને લીલોતરી તથા ત્રસકાય—એ બધાને સર્વ પ્રકારે જઈને મહાવીરે નિર્ણય કર્યો હતો કે તે સચિત્ત-સજીવ છે. અને એવી સમજ થવાથી એ બધાનું પરિવર્જન કરીને તેઓ વિહરતા-૧૨-૧૩ (આમાં પ્રથમ ચાર કાયના ઉલ્લેખ પછી વનસ્પતિને સ્વતંત્ર રીતે ઉલ્લેખ નથી કર્યો પરંતુ તેના પનક આદિ પ્રકારોને ઉલ્લેખ છે અને પછી ત્રસકાય ઉલ્લેખ છે. પરંતુ પ્રથમ અધ્યયનમાં પૃથ્વી, ઉદક, અગ્નિ, વનસ્પતિ, ત્રસકાય અને વાયુ-આ ક્રમ છે. અને એને ષજીવનિકાય—એવું નામ આપવામાં આવ્યું છે. વાયુનો ત્રસ પછી ઉલ્લેખ છે તે આગલા કાળે તેને ત્રસ ગણવાની માન્યતાના મૂળમાં હોય તેવો સંભવ છે ઉત્તરાધ્યયનમાં પૃથ્વી, અપૂ અને વનસ્પતિને સ્થાવર અને તેજ, વાયુ, અને વનસ્પતિઆદિ ઉદાર-પૂલને ત્રસ કહ્યા છે—ઉત્ત૩૬.૬૯, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy