________________
કલિકાલસર્વજ્ઞ
હાર કાઢીને પહેરાવી દીધો...
મહારાજનો જય હો...” હેમચન્દ્રાચાર્ય મહારાજનો જય હો.”
મંત્રીશ્વર’ સિદ્ધરાજ જયસિંહના પહાડી અવાજમાંથી સૂર ઊઠ્યો... અને સભામાં શાંતિનું વાતાવરણ સર્જાઈ ગયું.
‘આજ્ઞા મહારાજ.” ઉદયન મંત્રી સિંહાસન પાસે આવતાં બોલ્યા.
મારા ગજરાજ શ્રીકરણને સોને મઢ્યાં આભૂષણોથી શણગારો... રાજમહેલના ચોગાનમાં હાજર કરો. કવિ શ્રીપાલ તમે અપાસરે જઈ ગુરુવર્ય સાહિત્યશિરોમણિ આચાર્યશ્રી હેમચન્દ્રાચાર્યજીને ખબર કરો કે ગુજરેશ્વર મહારાજા સિદ્ધરાજ જયસિંહ આપના અપાસરે આપનું, આપે સર્જેલા મહાન વ્યાકરણગ્રંથનું મોતીડેથી વધાવતું સ્વાગત કરવા આવી રહ્યા છે. મહાઅમાત્યજી ગુજરાત અને ગુર્જરભાષા પ્રત્યેનો આપનો પ્રેમ અગાધ છે... આપના માટે તો આજનો આનંદ અનેરો હશે તો આપ, સેનાપતિ કેશવના વિજયી ચુનંદા સૈનિકો સાથે મહારાજશ્રીના અપાસરેથી સાહિત્યાચાર્ય હેમચન્દ્રાચાર્યજી રચિત વ્યાકરણગ્રંથની સુવર્ણજડિત પોથી રત્નજડિત અંબાડીમાં પધરાવી પાટણનગરીના રાજમાર્ગો, ચોરા ને ચૌટા, અને નગરની ગલી ગલીઓમાં આચાર્યશ્રીની નિશ્રામાં – આપણા સૌની હાજરીમાં એવી તો શોભાયાત્રા કાઢી રાજદરબારમાં ચૌલુક્યવંશી – મહાન ગુર્જરશ્વરો બિરાજતા રહ્યા છે એવા રાજસિંહાસન પર વ્યાકરણ ગ્રંથને પધરાવી – આપણા વિદ્વાન આચાર્ય – સારસ્વત હેમચન્દ્રાચાર્યજી અને સારસ્વત વ્યાકરણગ્રંથનું ન ભૂતો ન ભવિષ્યતિ' એવાં ભવ્ય સ્વાગતની તૈયારી કરો...” સિદ્ધરાજ જયસિંહે રાજ્યસભાનો આખોય દોર હાથમાં લેતાં... વ્યાકરણગ્રંથના ભવ્ય સ્વાગતની રૂપરેખા આપી દીધી.
જેવી આજ્ઞા ગુજરશ્વરજી મુંજાલ બોલી ઊઠ્યા.
મહારાજ... આજનો ઉત્સવ માળવા જીતીને આપે નગપ્રવેશ કર્યો ત્યારના વિજયોત્સવ કરતાં પણ ચઢી જાય એવો ઉત્સવ પાટણના આંગણે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org