________________
કલિકાલસર્વજ્ઞ
સ્વપ્ન સિદ્ધ કરીશ.’ હેમચન્દ્રાચાર્ય બોલી ઊઠ્યા.
હેમચન્દ્રાચાર્યના સમય દરમિયાન, ગુજરાતમાં બે ધર્મસંપ્રદાયો – જૈન અને હિંદુધર્મ જ પ્રચલિત હતા, બૌદ્ધ ધર્મ – સરહદ પારનો – ભારત બહારનો ધર્મ થઈ ગયો હતો. લંકા, બ્રહ્મદેશ, ચીન, જાપાનમાં એનું વિસ્તરણ થઈ ચૂક્યું હતું. સોલંકી વંશના રાજાઓ શૈવધર્મી હતા. સોમનાથ મહાદેવ એમના કુળપરંપરાગત દેવ હતા. પરમ માહેશ્વર' કહેવાતા જૈન સંપ્રદાયમાં પણ શ્વેતાંબર – દિગંબરના વિચારફાંટા પડી ચૂક્યા હતા. હેમચન્દ્રાચાર્યના પિતા ચાંચદેવ પેસરી માહેશ્વરી હતા તો માતા પાહિનીદેવી અને એના ભાઈ નેમિનાગ શ્રાવકજૈન હતા.
ધર્મ અંગેના નિરર્થક વાદવિવાદોમાં ભાષા – ગુજરાતી ભાષા પ્રત્યે કોઈ ધર્માચાર્યોએ લક્ષ આપ્યું નહોતું – પરિણામે પ્રાકૃત ગુજરાતી ભાષામાં અધકચરું ભાષાજ્ઞાન પ્રજાને પાઠશાળાઓમાં અપાતું હતું. હેમચન્દ્રાચાર્ય - ગુજરાતના એવા પ્રથમ ધર્માચાર્ય હતા કે જેણે ધર્મ, સંસ્કૃતિ, ઈતિહાસ, વિજ્ઞાન, આદિ માનવ જિંદગીને સ્પર્શતા વિષયોના પ્રચાર અને પ્રસાર માટે ભાષાની માતૃભાષાની આવશ્યકતા સ્વીકારી હતી. ભાષા સંસ્કૃતિનું નવલખું ઘરેણું હતું. અને વ્યાકરણ એ ભાષાનો પ્રાણ હતું. રસજ્ઞ મહાકવિ કાલિદાસના માલવદેશનું ભોજવ્યાકરણ - માલવવિજેતા ગુજરેશ્વરના ગુર્જરપ્રદેશમાં ભણાવાતું હતું અને આ વસ્તુ ભાષાપ્રેમી હેમચન્દ્રાચાર્યજીને - તેમ જ ગુજરાતના વર્તમાન રાજકારણીઓને સિદ્ધરાજથી માંડી મુંજાલ મહેતા અને ઉદયન મંત્રી સુધી સૌને ખૂંચતી હતી એ ભાષાના ઉત્થાન માટેની વાત હેમચન્દ્રાચાર્ય માટે ઉત્સાહ પ્રેરતી વાત હતી.
હેમચન્દ્રાચાર્યજી વિચારને ઝોલે ચડી ગયા.
મંત્રીશ્વર ઉદયન આપણા આંગણે પધારી પાટણનગરીને – ગુર્જરરાષ્ટ્રને સાહિત્ય, અને સંસ્કારનગરી – સંસ્કારી રાષ્ટ્ર બનાવવાનું એક મહાન અભિયાન આરંભનારા આચાર્ય દેવચન્દ્રસૂરિના પ્રતાપી શિષ્ય હેમચન્દ્રાચાર્યજીને એની કાર્યસાધના આરંભવા માટેની વિશાળ જગ્યા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org