________________
કલિકાલસર્વજ્ઞ
હે મુનિશ્વર નવા વ્યાકરણની રચના કરો, એથી મને યશ મળશે અને તમને ખ્યાતિ મળશે અને સમગ્ર લોકના ઉપકારનું પુણ્ય મળશે.’ ‘શબ્દોની વ્યુત્પતિ કરનારું શાસ્ત્ર રચીને અમારા મનોરથો પૂર્ણ કરો આપ સિવાય આવું કાર્ય ક૨વા બીજું કોઈ સમર્થ ગુર્જરપ્રદેશે નથી.' સિદ્ધરાજ જ્યસિંહનાં વચનો રાજ્યસભાના સદસ્યોએ – મહારાજ સિદ્ધરાજ જયસિંહનો જય.... આચાર્યશ્રી હેમચન્દ્રાચાર્યનો જય.....
૭૬
ના જયઘોષ દ્વારા ઝીલી લીધા.
હેમચન્દ્રાચાર્ય સિદ્ધરાજ જયસિંહની ગુજરાતી ભાષા પ્રત્યેના પ્રેમ ૫૨ પ્રસન્ન થઈ ગયા. સ્તંભતીર્થથી જે સ્વપ્નની ખાલી કાવડ લઈ... મહામુનિ નીકળ્યા હતા. એ કાવડ ગુર્જરેશ્વરની પ્રેરણા અને પ્રોત્સાહન દ્વારા ભરાઈ ગઈ હતી. હેમચન્દ્રાચાર્યજીની આંખોમાં આનંદનાં આંસુ ઊભરાઈ આવ્યાં. “મહારાજ આપની મનોકામના પૂર્ણ કરવા આ ક્ષણોથી જ હું કાર્યાન્વિત થઈ રહ્યો છું. હું મારા શિષ્ય રામચન્દ્રસૂરિને આપના એક સચિવ સાથે કાશ્મી૨ મોકલવા માંગું છું.'
‘કાશ્મીર ?” અનેકની આંખો આશ્ચર્યથી વિસ્ફારિત થઈ ગઈ. ‘હા મહારાજ, મા સરસ્વતી જલના પ્રવાહરૂપે પાટણની પુણ્યસલિલા બની વહે છે. પણ એના જ્ઞાનવહેણનાં બેસણાં કાશ્મીરની હિમાચ્છાદિત ધવલ કંદરાઓમાં છે. માતા સરસ્વતી ત્યાં સાક્ષાત બિરાજે છે. કાશ્મીર સરસ્વતી ધામ છે. આદ્ય શંકરાચાર્યની તપોભૂમિ છે. સરસ્વતી ધામમાં માતા સરસ્વતીની આરાધના કરી મારા શિષ્ય રામદ્રસૂરિ માના વરદ હસ્તે સંસ્કૃતભાષાના આઠ વ્યાકરણ ગ્રંથો લઈ અહીં આવશે. માતા સરસ્વતી અને ભગવાન મહાવીરની કૃપા ઊતરશે તો આપણી પ્રાકૃત ગુજરાતી ભાષામાં ગુજરાતને ગૌરવ અપાવે એવું વ્યાકરણ અને અન્ય સારસ્વત ગ્રંથોથી પાટણ, સિદ્ધપુર, સ્તંભતીર્થ, કર્ણાવતી તેમ જ અન્ય શહેરોના ગ્રંથાગારોને સારસ્વત ગ્રંથોથી ભરી મા ભોમ ગુજરાતની સેવા કરવાનું મારું
For Personal and Private Use Only
www.jainelibrary.org
-
Jain Educationa International