________________
૫૮
કલિકાલસર્વજ્ઞ
એવા સંસ્કારપુરુષની જરૂર હતી કે જે ગુજરશ્વરના અંતરની વ્યથાને - વાસ્તવિકતાને સમજી ગુર્જરભોમમાં સંસ્કારિતાનાં શાંતિનાં ધર્મભાવનાનાં વિચારશીલબીજનું વાવેતર કરી જ્ઞાન, સંસ્કારિતા અને ધર્મના વટવૃક્ષને ઉગાડી ગુજરાતને સંસ્કૃતિનું ધામ બનાવે... દેવચન્દ્રસૂરિ આ બાબતમાં કશુંક વિચારી રહ્યા હતા ત્યાં જ હેમચન્દ્રાચાર્યજી એમની પાસે આવી પહોંચ્યા. અને ગુર્જરપ્રદેશની યાત્રાએ જવાની પાટણનગરીના વૈભવનું દર્શન કરવાની અને ગુજરાતના સાંસ્કૃતિક સાહિત્યધનનો અભ્યાસ કરવા ગ્રંથાગારોની મુલાકાત લેવાની વાત કરી.
દેવચન્દ્રસૂરિએ હેમચન્દ્રાચાર્યની વાત સાંભળી પ્રસન્નતા અનુભવી. આ ક્ષણોમાં સિદ્ધરાજ જયસિંહની પડખે હેમચન્દ્રાચાર્ય જેવા સર્વ શાસ્ત્રોના જ્ઞાતા હોય તો ગૂર્જરેશ્વરનું - ગુજરાતને સંસ્કાર અને સાંસ્કૃતિકતાનું પરમધામ બનાવવાનું સ્વપ્ન જરૂર સાકાર થાય
ગુજરાતનું પાટનગર વિજયોત્સવને હેલે ચડ્યું છે. લોકો અવંતીથી પધારી રહેલા એના લાડીલા મહારાજનું સ્વાગત કરવા શહેરને શણગારી રહ્યા છે. ત્યારે પાટણ નગરીની રોનક અનેરી હશે, પણ... દેવચન્દ્રસૂરિ અટકી ગયા.
‘ગુરુદેવ, અટકી કેમ ગયા ? હેમચન્દ્રાચાર્ય બોલ્યા.
બાર બાર વર્ષના ભીષણ સંગ્રામને અંતે પ્રાપ્ત થયેલા અવંતી પરના વિજયનું મૂલ્ય પ્રજામાં અનેરો ઉત્સાહ જગાડી ગયું છે, પરંતુ લોહીની નદીઓ વહેવડાવી મેળવેલા ભૌતિક-પ્રાદેશિક વિજયનું મૂલ્ય માલવવિજેતા ગુજરશ્વર સિદ્ધરાજ જયસિંહ માટે શૂન્યવત છે, એટલું જ નહીં પણ એના ઋજુ હૃદયમાં શૂળ બનીને ખૂંચતું રહ્યું છે....” દેવચન્દ્રસૂરિ બોલ્યા.
શું વાત કરો છો ગુરુદેવ ? હેમચન્દ્રાચાર્યને પણ આશ્ચર્ય થયું. રાજા મહારાજાઓ માટે તો યુદ્ધભૂમિ પરનો વિજય એનો મહામોલો યાદગાર પ્રસંગ કહેવાય.”
“હેમચન્દ્રાચાર્ય, યશોવર્મા અને ભોજરાજાના અવંતીના દરબારમાં,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org