________________
કલિકાલસર્વજ્ઞ
રહ્યું છે. તમે
વેદતણા ઘોષે, ક્યાંક મંગળ ગીતથી
બંદીશ શબ્દોથી, નિત્ય જે પૂરી ગાજતી.” એવી પાટણ નગરી તરફ પ્રસ્થાન અવશ્ય કરો. આ પાટણ રૂપ, લાવણ્ય અને લક્ષ્મીથી શોભી રહ્યું છે, બાવન બજાર અને ચોર્યાસી ચૌટાથી ધબકતા અઢારસો કોટ્યાધીશોના નગરમાં હાલમાં તો વિજયોત્સવનું પર્વ ધામધૂમથી ઊજવાઈ રહ્યું છે
શેનો વિજયોત્સવ, કોનો વિજયોત્સવ. હેમચન્દ્રાચાર્યે પ્રશ્ન કર્યો. દેવચન્દ્રસૂરિ એના શિષ્યરત્ન સામે જોઈ રહ્યા.
આજ પણ વર્ષો પહેલાં ધંધુકાના અપાસરામાં પાંચ વર્ષના બાળક ચાંગના લલાટ પર જે ઝળહળતું તેજ એણે જોયું હતું. એ જ તેજ... એ જ પ્રકાશ, એકવીસ વર્ષના યુવાન આચાર્યના લલાટ પર ઝળહળી રહ્યો હતો. આ જ પ્રકાશ, આ જ તેજ ગુર્જરેશ્વરોને જ્ઞાન, ધર્મ અને કલ્યાણરાજ્યને પંથે દોરવાનું હતું.
ગુજરાતના યુવાન પ્રતિભાશાળી રાજા સિદ્ધરાજ જયસિંહે બાર બાર વર્ષના લોહિયાળ સંગ્રામ પછી ભારતના સંસ્કૃતિધામ માલવા પર – માલવ નરેશ નરવર્મદેવ અને પુત્ર યશોવર્મા પર વિજય મેળવ્યો હતો, એના સમાચાર સ્તંભતીર્થમાં ધર્મકર્મની ધૂણી ધખાવીને બેઠેલા દેવચન્દ્રસૂરિને આગલી સાંજે સિદ્ધરાજ જયસિંહના ખાસ સંદેશાવાહક દ્વારા મોકલાવ્યા હતા. માલવનરેશ અવંતીમાંથી ભાગીને ધારાગઢના અજેય કિલ્લામાં ભરાયો
હતો.
સિદ્ધરાજ જયસિંહ ખુદે ગુજરાતની સરહદ પાર કરી એના લશ્કરને અવંતી તરફ દોર્યું હતું. એની સાથે કેશવસેનાપતિ, મહાઅમાત્ય મુંજાલ, એના જ હાથ નીચે તૈયાર થઈ રહેલો મહાદેવ, સિદ્ધરાજના ભત્રીજા કુમારપાળનો બનેવી મોઢેરકનો કૃષ્ણદેવ જે કાન્હડદેવના નામથી પ્રખ્યાત હતો, આબુના પરમાર રામદેવ, નકુલના અશ્વરાજ અને શાકંભરીથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org