________________
કલિકાલસર્વજ્ઞ
૪૭
અપાસરામાં શું હતું ? કંઈ ખાસ વાત ?” ચાંચે પૂછ્યું.
અમારા સોમચન્દ્રને જોયો ? અમારો ચાંગ હવે તો ખાસ્સો મોટો થઈ ગયો હશે નહીં ?” પાહિનીદેવી દીકરા વિષેના સમાચાર સાંભળવા આતુર હતી. આખરે તો મા હતી ને !
શું વાત કરું સોમચન્દ્રમુનિની હું મંત્રીશ્વર સાથે અપાસરામાં ગયો ત્યારે ઘેરોએક માણસો વચ્ચે ગુરુદેવ.. અમારા સોમચન્દ્રમુનિને એક પછી એક સવાલો પૂછે ને... સોમચન્દ્રમુનિ તરત જ એના એવા તો જવાબ આપે કે લોકો વાહ વાહ બોલી ઊઠે.'
અચ્છા... દીકરાએ સાધુ બની... અમારાં તો કુળ ઈકોતેર તારી નાંખ્યાં. હોં જીવાભાઈ પણ હાં પછી શું થયું ?” ચાંચ બોલી ઊઠ્યો.
થાય શું.. શિષ્યના જવાબો સાંભળી ગુરુદેવ તો ફૂલ્યા નહોતા સમાતા... પાટણની સભામાં પણ એવું જ થયું હતું. પેલો કોક કર્ણાટકથી સાધુ આવ્યો હતો. એને પાટણના પંડિતોને હરાવવા હતા. પણ આપણા ગુરુદેવ અને સોમચન્દ્રમુનિએ એને તો ભૂ પીતો કરી દીધો હોં...”
“વાત કરો છો જીવાભાઈ....” પાહિની બોલી.
‘આ બસ તે દિવસથી જ આમ તો ગુરુદેવે મનોમન ગાંઠ બાંધી દીધી હતી કે સોમચન્દ્રમુનિને આચાર્યપદથી વિભૂષિત કરવા... અને એ મંગલ અવસર આવી પહોંચ્યો છે.” કહેતાં જીવાભાઈ ઊભા થઈ ગયા.
લ્યો હવે હું જઈશ. મારે હજી મંત્રીશ્વરનાં ઘણાં કામ પતાવવાનાં
છે...'
ચાંચદેવે જીવાભાઈને ભેટસોગાદો આપી વિદાય કર્યા. દેવી... આપણે પણ નાગોર જવાની તૈયારી કરીએ.’
પ્રાણનાથ.... આજે જ આપણે સ્તંભતીર્થ પહોંચી ગુરુદેવ સાથે જ નાગોર જઈએ તો કેવું...”
વિચાર સારો છે. એમની વાણીનો ધર્મલાભ પણ થશે. અને દીકરાની આ ક્ષેત્રની ગતિવિધિનો પણ ખ્યાલ આવશે.” ચાંચ બોલ્યો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org