________________
કલિકાલસર્વજ્ઞ
૪૫
જ હું જ એની પ્રથમ સાધ્વી બની જઈ જિનશાસનની સેવામાં શેષ જિંદગીને એવી તો ડુબાડી દઈશ કે દીકરો યાદ પણ ન આવે... પાહિની બોલી ઊઠી.
અને તમારે પગલે હું પણ દીક્ષા લઈને મહાવીર સ્વામીનો લાડલો બની જઈશ...”
પતિ-પત્ની વચ્ચેની વાતોમાં સવાર ક્યારે પડી ગયું તેની પણ ખબર બન્નેને ન રહેત, પણ વહેલી સવારે પાહિનીપ્રાસાદની ડેલી ખખડવાનો અવાજ બન્નેને કાને પડવો.
અરે હજી તો ભડભાંખળું પણ નથી થયું ત્યાં આંગણે વળી ક્યા અતિથિ આવીને ઊભા રહી ગયા હશે....” કહેતો ચાંચ પલંગમાંથી ઊભો થઈ ડેલી ખોલવા ગયો. એની પાછળ પાછળ પાહિનીદેવી પણ પહોંચી ગઈ.
બારણું ખોલતાં જ
જય જિનેન્દ્ર, નગરશ્રેષ્ઠિ ચાંચદેવ અને પાહિનીદેવીનું પાહિનીપ્રાસાદ' આ જ કે?’ - એક અજાણ્યો અસવાર - અશ્વને નજીક ખેંચતાં બોલી ઊઠ્યો.
“હા ભાઈ... હું જ ચાંચદેવ અને આ છે પાહિનીદેવી. મારાં પત્ની. આપ અંદર પધારો. આખી રાતનો ઉજાગરો વેઠીને અમારા આંગણે આવ્યા લાગો છો ?'
હા. મને સ્તંભતીર્થથી ઉદયન મંત્રીએ મોકલ્યા છે.'
ઉદયન મંત્રીએ....! શા સમાચાર લાવ્યા છો ભાઈ, અમારો ચાંગ.. સોમચન્દ્ર. તો સૂરિજીની નિશ્રામાં સાજા-નરવો છે ને?” ચાંચ બોલી ઊઠ્યો. અવાજમાં ચિંતા અને આશંકા રમતાં હતાં.
નગરશ્રેષ્ઠિ... આવતીકાલે - અખાત્રીજના શુભદિને નાગોર મુકામે દેવચન્દ્રસૂરિજી એમની કંથા સોમચન્દ્રમુનિને ઓઢાડી એને આચાર્યપદે - હેમચન્દ્રાચાર્યસૂરિરૂપે સ્થાપશે.... તો આપ બન્ને એ પ્રસંગે હાજર રહેવાનું ખાસ નિમંત્રણ આપવા મંત્રીશ્વરે મને મારતા ઘોડે મોકલ્યો છે.'
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org