________________
કલિકાલસર્વજ્ઞ
૪૧
સત્ય, વીતરાગ, મુદિતા, અપરિગ્રહ. ઇત્યાદિનું આચરણ એ જ તો મુક્તિનો-મોક્ષનો માર્ગ મારે મન છે.'
સાધુજીવનમાં આચરવાનાં પાંચ મહાવ્રતો કયાં?’ પ્રમાણમાં સરળ કહી શકાય એવો સવાલ કરી... એકત્રિત શ્રોતાઓને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા.
ગુરુદેવ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ પાંચ મહાવ્રતોનો પ્રતિજ્ઞા દ્વારા અંગીકાર એટલે એના આચરણનો ખૂલેલો મોક્ષ માર્ગ.”
દેવચન્દ્રસૂરિએ સાધો... સાધો...'ના પ્રસન ઉદ્દગારોથી વાતાવરણ ભરી દીધું. શ્રોતાઓના હૃદયમાંથી આવા જ ઉદ્ગારો સરી પડ્યા.
સોમચન્દ્ર” આજ્ઞા ગુરુદેવ.”
અપાસરાના પેલ્લા એકાંત ખૂણામાં પડેલો ઢગલો દેખાય છે? કાળા રંગનો છે તે ?”
હા, ગુરુદેવ...” ‘એ શું છે સોમચન્દ્ર ?” હેમ.” “હેમ ?'
સૌ કોઈના મુખમાંથી આશ્ચર્યના ઉદ્ગારો સરી પડ્યા. સોમચન્દ્ર આખરે ગુરુદેવની પરીક્ષામાં નાપાસ થઈ ગયો. કાળા કોલસાને તે પહેમ' - “સોનું કહેવાતું હશે ?
“સોમચન્દ્ર” તેં શું કહ્યું, “હેમ ?” તારો દૃષ્ટિભ્રમ તો નથી થયોને ? એ તો કોલસાનો ઢગલો છે.” દેવચન્દ્રસૂરિ શિષ્ય પર નજર સ્થિર કરતા બોલી ઊઠ્યા.
ગુરુદેવ.. એ હેમ' જ છે....' “હેમ. જ.'
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org