________________
ગુર્જરભોમકાના ઈતિહાસમાં સુખ, સંસ્કારિતા, શૌર્ય અને સમૃદ્ધિની દૃષ્ટિએ મહાન કહી શકાય એવા યુગ સોલંકીયુગની ગાથા – ભારતીય સંસ્કૃતિના ઉજ્જવલ શિખરોની ગાથા ગાતો આજના ભ્રષ્ટાચારી યુગમાં પણ - છેલછબીલો ગુજરાતી થાકતો નથી.
મૂળરાજ સોલંકીથી ભીમદેવ, કર્ણદેવ, સિદ્ધરાજ, કુમારપાળ અને એથી પણ આગળ લંબાયેલી પરાક્રમી, પ્રજાવત્સલ ગૌરવવંતા રાજવીઓનો ત્રણસો વર્ષનો કાળ - ગુર્જર પ્રજાનો સુવર્ણકાળ હતો.
અણહિલપુર પાટણના ગુર્જરેશ્વરો – રાજ્યના શાસનકર્તા તો હતા, પરંતુ રાજ્ય માટે, પ્રજાના કલ્યાણ કાજે જમાનાની માંગ પ્રમાણે સ્વેચ્છાએ રાજ્યગાદી છોડી આધ્યાત્મિક પંથે પળેલા - કંથાધારી પ્રજાના હૃદય પર શાસન કરનારા ત્યાગી રાજવીઓ પણ હતા. સાધુ, સંત, સૂરિ મહંતો, મૌલવીઓથી માંડી વિદ્વત્તજનોનાં બેસણાં સોલંકીયુગના રાજવીઓના દરબારમાં હંમેશા રહેતા... ધર્મ ધૂરંધરોની એક પેઢી સોલંકીયુગમાં એવી આવી ગઈ કે પ્રજામાં ધર્મભાવના, ત્યાગની ભાવના, ભક્તિની છોળો ઉડાડતી - પ્રજાને સંસ્કારિતા, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનાં શિખરો સર કરતી કરી ગઈ.
ધંધુકાના નગરશ્રેષ્ઠિ ચાંચ અને પાહિનીદેવી જન્મ મોઢ જ્ઞાતિનાં, પરંતુ જૈનધર્મી હતાં. ધંધુકા નગરીના ગૌરવસમા અનેક કોટ્યાધિપતિઓમાંના એક એવા ચાંચદેવ અને પાહિનીદેવી ધાર્મિકવૃત્તિથી રંગાયેલા દંપતી હતા.
પાહિનીદેવીના આનંદનો પાર નહોતો. ગુરુદેવ દેવચન્દ્રસૂરિની જ્ઞાનવાણીનો એક એક શબ્દ, એણે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org