________________
કલિકાલસર્વજ્ઞ
૧૮૧
ગુરુદેવ... કાકાજીની જેમ હું નિઃસંતાન છું... મારી પછી પાટણના સિંહાસન પર ચૌલુક્યવંશનો જ કોઈક નબીરો આવી જશે... પરંતુ મહારાજ... સર્વધર્મ સમભાવ'નું જે અભિયાન તમે તમારી વર્ષોની મહેનતથી આદર્યું છે, એ સત્ય, અહિંસા, અપરિગ્રહ, ઇત્યાદિ બ્રહ્માંડનાં શાશ્વત મૂલ્યોનું એ વાતાવરણ જાળવી રાખવાવાળું કોણ ? એનો વિચાર કરી રાખવાનો સમય પણ પાકી ગયો છે.... કુમારપાળે હેમચન્દ્રાચાર્યજીનો વિચારતંતુ પકડી લેતાં. કહ્યું.
મહારાજ... આ જ સમય છે... આપણી પછીની નવી પેઢીને ઘડનારા સમર્થોનો કવિ વિશ્વેશ્વરના હૈયે અને હોઠે મા સરસ્વતીનો વાસ છે... એમનાં કાવ્યો, નાટકો, સ્તુતિઓ, સૂત્રો..માં મા સરસ્વતી શબ્દના પાયલે રણકતી રહી છે... મહંત ભાવબૃહસ્પતિના જમાઈ કવિ વિશ્વેશ્વર કાલે રાજસભામાં આવશે ત્યારે જ સોમનાથ મંદિરના પુનરોદ્વારની જવાબદારી... યુવા કવિને સોંપવાની જાહેરાત કરી દ્યો... અને એનું સન્માન કરાવો... રામચન્દ્રસૂરિ અને કવિ વિશ્વેશ્વરના કાવ્યપઠન – નાટ્યપઠનનો કાર્યક્રમ પણ રાજસભામાં જ ગોઠવી દયો.' હેમચન્દ્રાચાર્યે સૂચન મૂક્યું. હેમચન્દ્રાચાર્યજીને એક કાંકરે અનેક કાર્યો સાધવાં હતાં.
બરોબર એ જ સમયે અપાસરાની ડેલી ખખડી, હેમચન્દ્રાચાર્યજીની નજર એ દિશામાં ગઈ અને જોયું તો એના આશ્ચર્ય વચ્ચે રામચન્દ્રસૂરિ સાથે સાડા પાંચ ફૂટ ઊંચો તેજસ્વી યુવાન અપાસરામાં પ્રવેશીને એના તરફ આવી રહ્યો હતો.
ગુરુદેવ... આપશ્રી છે કવિ વિશ્વેશ્વરજી... સોમનાથના મહંત ભાવબૃહસ્પતિના વિદ્વાન જમાઈ....
હેમચન્દ્રાચાર્ય ઊભા થઈ ગયા અને યુવાન કવિને ભેટી પડતાં. ’કવિ વિશ્વેશ્વર આપનું સ્વાગત છે... મહારાજ... આપણે હમણાં હમણાં જેની વિદ્વત્તાની વાતો કરતા હતા એ કવિ વિશ્વેશ્વર આપણા ભાવબૃહસ્પતિજીના જમાઈ...
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org