SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ કિલિકાલસર્વજ્ઞ ૧૭૭ પ્રશ્નો કરવા એ જ તો સાચું જૈનત્વ છે. કારણ કે એ સાચું સત્ય છે અને એ સત્ય સમગ્ર વિશ્વનું છે. દેવબોધજીને એ સત્ય પાસે એને જલદીથી દોરી જવા પડશે. અને રામચન્દ્ર-મહારાજમાં આ વસ્તુ પ્રગટી છે. મહારાજ આપ જ રામચન્દ્રને સમજાવો.” હેમચન્દ્રાચાર્ય બોલ્યા. કુમારપાળને આશ્ચર્ય થયું. હેમચન્દ્રાચાર્યજી પાસે થોડાક દિવસો પહેલાં એણે સલાહ માંગી હતી એના સંદર્ભ સુધી આખીયે ચર્ચાને એ દોરી ગયા હતા. રામચન્દ્રસૂરિજી... ગુરુદેવની વાતોનો મર્મ સમજાવો જોઈએ. આવતીકાલે રાજ્યસભા ભરાય એ પહેલાં મેં ગુરુદેવ પાસે સલાહ માંગી હતી.” શી સલાહ માંગી હતી ગુજરશ્વર ?” રામચન્દ્રસૂરિએ પૂછ્યું. ગુરુદેવ. તમે પસંદ કરીને મને ધર્મનું કોઈ એવું કામ બતાવો કે જેની ઉપર હું ધન ખર્ચી શકું...” અચ્છા, પછી ગુરુદેવે આપને શી સલાહ આપી ? . “ભગવાન સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર મહારાજ કરાવે. આટલું બોલી હેમચન્દ્રાચાર્ય ચૂપ થઈ ગયા. સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર... ?” રામચન્દ્રસૂરિને આશ્ચર્ય અને આઘાત લાગ્યાં એણે વાક્ય પૂરું કરતાં ઉમેર્યું. ‘ગુરુદેવ... પરંતુ મહારાજનાં કુમારવિહાર ને...” રામચન્દ્ર. કુમારવિહાર. એ એક વ્યક્તિના જીવનપરિવર્તનના ઇતિહાસ માટેનું સર્જન છે. જ્યારે મહારાજે ધનનો વ્યય ધર્મ માટે કરવાનું પૂછ્યું હતું. ભગવાન સોમનાથ એનું મંદિર, એ યુગયુગાન સુધી પ્રજાનો, ધર્મનો ઇતિહાસ આપવા માટેનું છે.' પરંતુ મહારાજ....' ‘રામચન્દ્ર... તારા સવાલનો ગર્ભિત સૂર હું પામી ગયો છું. સામાને હણતા હું મને જ હણતો નથી’નો વિચાર કરે એ જ સાચો જૈન છે... અને એનું જૈનત્વ પણ ત્યાં જ ઝમકી ઊઠે છે. રામચન્દ્ર, મહારાજ – આવું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005290
Book TitleKalikal Sarvagna
Original Sutra AuthorN/A
AuthorJashvant Mehta
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy