________________
- ૨૩
કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય ફાટી આંખે એના ગુરુ દેવચન્દ્રસૂરિને જતા કેટલીય વાર સુધી જોતા રહ્યા. વર્ષો પછી આંગણે આવેલા ગુરુદેવે વિરાટ શિષ્યમાં રહેલી વામનતા બતાવી દીધી હતી... અંતરમાં અજંપાની લઘુતાગ્રંથિની એક વેલ વાવીને ગુરુ ચાલ્યા ગયા હતા. અને જે કાર્ય સાધુત્વની સીમામાં ન આવતું હોય ભૌતિકવાદના અંશરૂપે પણ હોય એમાં સાધુએ હાથ નાંખવો સાધુ માટે યોગ્ય નથી...
હેમચન્દ્રાચાર્યે ગુરુનો આ સંદેશ મનમાં મમળાવતા એક દિવસ એના અપાસરાના ચોતરા પર બેઠા હતા, ત્યાં જ એમના શિષ્ય રામચન્દ્રસૂરિ આવી ચઢ્યા... ગુરુને વંદન કરી એમના ચરણમાં બેસી ગયા. વહેલી સવારનો પહોર હતો એટલે કુમારપાળ પણ અપાસરામાં ગુરુવંદના કરવા આવ્યા અને વંદન કરી રામચન્દ્રસૂરિથી થોડાક અંતરે બેસી ગયા.
હેમચન્દ્રાચાર્યજી... એમના બે શિષ્યો સામે પ્રેમાળનજરે જોતા રહ્યા એક રાજવંશી અને બીજો સાધુવંશી – બને હૃદયે વિશાળ અને સત્ય, અહિંસા, મુદિતા, અપરિગ્રહના વ્રતોને જીવનમાં આત્મસાત કરનારા મૂઠી ઊંચેરા જીવ હતા.
ગુરુદેવ. રામચન્દ્રસૂરિએ નિષ્પલક નયને એની સામે જોઈ રહેલા ગુરુદેવને જગાડ્યા.
બોલો વત્સ રામચન્દ્ર. આજકાલ નાટ્યલેખન કેમ ચાલે છે ?”
જિનસ્વામીની અને આપની કૃપા છે ગુરુદેવ... આજે થોડાક લૌકિક, ભયના, રાજ્ય ધર્મ અને ગુજરાતની અસ્મિતા અંગેની કેટલીક શંકાઓનું સમાધાન માટે આવ્યો છું ગુરુદેવ.”
હેમચન્દ્રાચાર્યે એક નજર કુમારપાળ પર નાંખી. એનો ચહેરો પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org