SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ કલિકાલસર્વજ્ઞ ૮૫ મહારાજ, ગુરુદેવ હેમચન્દ્રાચાર્ય રચિત આ મહાન ગ્રંથના નામકરણમાં - એક નાનકડો સુધારો સૂચવું છું. આ મહાનગ્રંથ... શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસન' નામે આજ પછી ઓળખાવો જોઈએ....” “મહાઅમાત્યજી... મારા મનની વાત તમે ચોરી લીધી... આ ગ્રંથનું શ્રેય.. એક માત્ર આપણા હેમચન્દ્રાચાર્યજીને જાય છે... રાત-દિવસની એની મહેનતનું આ પરિણામ છે “સિદ્ધહેમશબ્દાનુશાસન' ગ્રંથને રાજયના ગ્રંથભંડારમાં ગૌરવભેર પધરાવો અને ત્રણસો લહિયાઓ દ્વારા તૈયાર થયેલી સેંકડો હસ્તપ્રતો, દેશવિદેશમાં મોકલાવી ગુજરાતનું ગૌરવ વધારો... આજથી સમગ્ર ગુજરાત, ઉપરાંત માલવા, કોંકણ, કાન્યકુબ્ધ ઈત્યાદિ પ્રદેશોમાં જ્યાં જ્યાં ગુર્જર શાસન વિસ્તર્યું છે ત્યાં ત્યાં સિદ્ધહેમશબ્દાનુશાસન વ્યાકરણગ્રંથથી શિક્ષકો, શાસ્ત્રીઓ, પંડિતો, ગુજરાતની ભાવિ પેઢીને સંસ્કારશે...” સિદ્ધરાજ જયસિંહ બોલી ઊઠ્યો. કવિ શ્રીપાલે એના આસન પરથી ઊભા થઈ.... સોમપ્રભસૂરિનો શ્લોક એના મધુર કંઠેથી વહેતો કર્યો... “फलृप्तं व्याकरणं नवं विरचितं छन्दा नवं । द्वयाश्रयालंकारौ प्रथितौ नवौ प्रकटितं श्री योगशास्त्रमं ॥ तर्क, संजनितो नवो जिनवरादीनां चरित्रम् नवम् । बध्धं येन न केन केन विदिनां मोह: कृते दूरतः ॥" જેમણે નવું વ્યાકરણ રચ્યું, નવું છંદશાસ્ત્ર આપ્યું, નવા વયાશ્રય અને અલંકારશાસ્ત્ર પ્રસિદ્ધ કર્યા, નવું યોગશાસ્ત્ર પ્રગટ કર્યું, નવું તર્કશાસ્ત્ર તથા જિનવર આદિનું નવું ચરિત્ર અને પરિશિષ્ટ કર્યું આવા શ્રી હેમચન્દ્રાચાર્યે સર્વનું અજ્ઞાન દૂર કર્યું. - “વાહ કવિશ્વર.... આપે ખૂબ જ યોગ્ય સમયે.. આપણા નગરમાં વિસતા, મા ભોમે ગુજરાતના હિતને હૈયે રાખી, માતૃભાષા ગુજરાતી માટે એનું સર્વસ્વ સમર્પ દેતાં સાહિત્યાચાર્ય વિદ્વાન નિસ્વાર્થ સાધુચરિત માનસ ધરાવતા શ્રી હેમચન્દ્રાચાર્યજીને ખૂબ જ ઉચિત રીતે પાટણની આ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005290
Book TitleKalikal Sarvagna
Original Sutra AuthorN/A
AuthorJashvant Mehta
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy