SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ કલિકાલસર્વજ્ઞ અંબાડી પર પધરાવી શોભાયાત્રાનો આરંભ કરો. હું તો એક સામાન્ય મહાવીર સ્વામીનો અદનો સેવક છું... આપ સર્વ સાથે અડવાણે પગે મારા શિષ્યો સાથે શોભાયાત્રામાં જરૂ૨ સામેલ થઈશ.' હેમચન્દ્રાચાર્ય બોલ્યા. મહાઅમાત્ય મુંજાલ અને સિદ્ધરાજ જયસિંહને હેમચન્દ્રાચાર્યજીએ પોતાના સ્વહસ્તે વ્યાકરણગ્રંથ સોંપ્યો... અને સુવર્ણજડિત અંબાડીમાં ગ્રંથને સિદ્ધરાજ જયસિંહે પધરાવ્યો ત્યારે લોકોએ..... સિદ્ધરાજ જયસિંહનો ..... હેમચન્દ્રાચાર્ય મહારાજાનો જય.'ના જયનાદથી ગામ ગજવી દીધું. પાટણના રાજપથો, શેરીઓ અને પોળોમાંથી પસાર થતી શોભાયાત્રા પૂરા બે કલાક પછી શુભ મુહૂર્તમાં રાજદરબારમાં પહોંચી... હેમચન્દ્રાચાર્યે વ્યાકરણગ્રંથ પોતાના માથા પર મૂકી રાજસભામાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે રાજસભાના સદસ્યોએ ઊભા થઈ હેમચન્દ્રાચાર્યજીના નામના જયઘોષ સાથે સ્વાગત કર્યું. મહારાજ સિદ્ધરાજ જયસિંહના હાથમાં ગ્રંથને પધરાવતા હેમચન્દ્રાચાર્યજી બોલી ઊઠ્યા.... માલવવિજેતા ગુર્જરેશ્વર મહારાજ સિદ્ધરાજ જયસિંહનો જય.... મહારાજ, ભગવાન મહાવીરની પરમકૃપા અને આપની ઉચ્ચકોટિની પવિત્ર સહકારની ભાવનાથી તૈયાર થયેલા ગુજરાતી ભાષાને ગૌરવ આપતો આ વ્યાકરણ ગ્રંથ આપને અને આપ દ્વારા મહાન ગુર્જર પ્રજાને સાદર લોકાર્પણ કરતાં ગર્વ અનુભવું છું.' ‘ગુરુવર્ય... આ વ્યાકરણગ્રંથનું નામકરણ કરવાનું કાર્ય આપ કરો.' ઉદયન મંત્રીએ સૂચન કર્યું. આ વ્યાકરણગ્રંથ આજ પછી શ્રી સિદ્ધશબ્દાનુશાસન' નામે ઓળખાશે....' હેમચન્દ્રાચાર્યજીએ નામ સચવ્યું. “મહારાજ, એક પળ પૂરતું મને સાંભળશો.... મહામંત્રી મુંજાલ ઊભા થઈને બોલી ઊઠ્યા. જરૂર... મહાઅમાત્યશ્રી શી વાત છે ? સિદ્ધરાજે પૂછ્યું. For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005290
Book TitleKalikal Sarvagna
Original Sutra AuthorN/A
AuthorJashvant Mehta
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy