SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજા : ૬૭ તેનાં ફળ, હેતુ, અને ભેદ સાથે સામાન્ય પ્રકારે કરીએ. પ્રભાતે શું કરવું જોઈએ? પૂજન. તે માટે શ્રીમાન્ આનંદઘનજી સ્તવે છે કેઃ સુવિધિ જિસેસર પાય નમીને, શુભ કરણી એમ કીજે રે, અતિઘણો ઉલટ અંગ ધરીને, પ્રહ ઊડી પૂજી જે રે. સુ. ૧ અર્થ—અહે ભવ્ય ! શ્રી સુવિધિ જિનેશ્વરનાં ચરણકમલને નમીને શુભ કરણી કરે, અતિશય ઉત્સાહ, હર્ષ ધરીને પ્રભાતમાં ઊડીને અન્ય સર્વ સંસારી કામ કર્યા પહેલાં જિનપૂજનરૂપ શુભ કરણ કરે. તે પૂજનમાં સાચવવાની વિધિ બતાવે છે: દ્રવ્યભાવ શુચિભાવ ધરીને, હરખે દેહરે જઈએ રે, દહ તિગ પણ અહિગમ સાચવતાં, એકમના ધુરિ થઈએ રે. સુ૦ ૨ જે-જે વખતે પૂજા કરવી તે-તે વખતે પ્રથમ નિર્મલ જલથી સ્નાન કરવું, (અંગશુદ્ધિ કરવી. જુઓ ખંડ ૪૫) શુદ્ધ વસ્ત્ર પહેરવાં – આ દ્રવ્યશુચિ કહેતાં દ્રવ્યપવિત્રતા કરવી. આની સાથે ભાવશુચિ પણ હોવી જોઈએ. દ્રવ્યભાવની પવિત્રતાથી સાડાત્રણ કરોડ રોમરાજી વિકસ્વર થતાં નિસિહિ. પ્રમુખ દશત્રિક (જુઓ ખંડ ૪૬) અને પાંચ અભિગમ જુઓ ખંડ ૪૭) કહ્યા છે તે સર્વ રીતે સાચવતાં હર્ષભર હૈયે જિનમંદિર જઈએ. ત્યાં જઈ પ્રથમ તે માત્ર પૂજા કરવાને વિષે જ મનની એકાગ્રતા કરવી, અર્થાત્ અન્ય સર્વ કાર્યથી સર્વ પ્રકારે મનની નિવૃત્તિ કરવી. આવી રીતે તન્મય થઈ પૂજારૂપ શુભ કરણી કરવી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005289
Book TitleJindev Darshan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy