________________
૫૪ : જિનદવદન
આ ભાવવાની છે. રૂપાતીત અવસ્થા – રૂપ વગરની એવી સિદ્ધપણાની અવસ્થા. (જ્યા પુદ્ગલનાં પરમાણુ હોય ત્યાં રૂપ હોય, પરંતુ સિદ્ધને પરમાણુમાત્ર નથી તેથી તે અરૂપી કહેવાય છે.) આ અવસ્થાને પ્રભુને પર્યકાસને (પલાઠીમાં કાયેત્સર્ગ (કાઉસગ) કરતા જોઈને ભાવવાની છે. આવી અવસ્થામાં અપૂર્વ શાતિ પ્રગટે છે અને તેથી ઘણા તીર્થ કરે આ કાઉસગમુદ્રામાં મોક્ષ ગયા છે.
૬. દિશાત્રિકઃ ત્રણ દિશા – નામે ઊર્ધ્વઊચી, નીચી, અને તિર્યકતીરછી-આડીઅવળી છોડી દઈ ફક્ત જિનમુખ ઉપર જ દષ્ટિ રાખી એકાગ્રતા કરવી. આ ત્રિકનું આખું નામ ત્રિદિશિનિરીક્ષણવર્જનત્રિક છે
૭ પદભૂમિપ્રમાર્જનત્રિક એટલે ચૈત્યવંદનાદિક કરતાં પગ મૂકવાની ભૂમિનું ત્રણ વાર પ્રમાર્જન (જીવ રક્ષાને અર્થે ગૃહસ્થે વસ્ત્રના છેડાથી અને સાધુએ રજોહરણથી પુજવું) તે.
૮. આલંબનત્રિકઃ આલંબન=આશ્રય, આધાર, તે ત્રણ છે વણુંલંબન – નમુક્કુણું વગેરે સૂત્ર બેલતાં અક્ષરે
શુદ્ધ, જૂનાધિકતા રહિત, અને યથાસ્થિત બોલવા તે. (૨) અર્થાલંબન – તે સૂત્રના અર્થ હૃદયમાં ભાવવા તે. (૩) પ્રતિમાલંબન – જિનપ્રતિમા, ભાવ અરિહંત, આદિનું
સ્વરૂપ ધારણ કરવું તે.
૯ મુદ્રાત્રિક: (૧) ગમુદ્રા – બે હાથની દશે આંગળા આ માંહોમાંહે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org