________________
૫૦ : જિનદેવદર્શન
૩. પ્રણામત્રિકઃ ત્રણ જાતના પ્રણામ કરવા તે. અંજલિબદ્ધ પ્રણામ – બે હાથ જોડી અંજલિ કરી પ્રણામ કરવા તે. અર્ધાવનતપ્રણામ – અર્ધા નમેલા એટલે કેડથી શરીર માડી તથા માથું, હાથ આદિથી ભૂમિને પગ આદિને સ્પર્શ કરી પ્રણામ કરવા તે. આમાં ચાર અંગ નમે છે. પંચાંગ પ્રણામ – એટલે પાંચ અંગ – નામે બે જાન, બે હાથ, અને એક માથું – નમાડી ખમાસમણ આપી પ્રણામ કરવા તે. ૪ પૂજાવિકઃ ત્રણ જાતની પૂજા. અંગપૂજા – શરીરપૂજા. આમાં પ્રથમ સાત વાનાં – નામે મન, વચન, કાય, વસ્ત્ર, પૂજાનાં ઉપકરણે, ભૂમિ એ છની શુદ્ધિ તથા નીતિનું ધન એમ જોઈએ. એ પછી નિર્મળ વસ્ત્ર પહેરી આઠપડે મુકેશ થાય એવું ઉત્તરાસંગ રાખી પ્રભુના શરીરની પૂજા કરવી જોઈએ. તે શરીરની પૂજા આ પ્રમાણે થાય છે. પહેલાં આશાતના ટાળવા માટે બિંબને – ભગવાનના અંગને મોરપીંછીથી કે પુંજથી પંજવું, પછી નવરાવી, અંગ લુહી, વિલેપન કરી, ઘરેણા પહેરાવી, આંગી રચી, ફૂલ ચડાવી, ધૂપસુગંધ-વાસક્ષેપ વગેરેની પૂજા કરવી.
(અહીંયાં આંગી સંબંધી ડું બેલિવું યેગ્ય થઈ પડશે. પ્રભુની આંગીમાં સુધાર થવાની બહુ જરૂર છે. કેટલેક ઠેકાણે પ્રભુને કેટ, પાટલૂન, ખમીશ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org