________________
૪૮ : જિનદેવદર્શન
મારાધયન્તિ
વિધિવદ્વિધુતાન્યકૃત્યાઃ,
ભત્યેાલ્લસપુલકપ્રમલદેડશાઃ પાદશ્ચય તવ વિભા ! ભુવિ જન્મભાજ.
હે ત્રિભુવનનાથ ! હે વિભુ ! તે જ મનુષ્યને ધન્ય છે કે જે બીજા કાર્યાં છેડીને ભક્તિએ કરી ઉલ્લાસ પામતા એવા રામાંચથી પેાતાના શરીરના ભાગ વ્યાપ્ત કરી આપના ચરણકમળને વિધિપૂર્વક ત્રણ કાલે આરાધે છે– સેવે છે.
કોઈ પણ કાર્ય વિધિપૂર્વક અને ભાવપૂર્વક કર્યાથી તેનું કુલ ઉત્કૃષ્ટ આવે છે. તે ચૈત્ય-દેવવંદન કરવાના વિધિ શાસ્ત્રમાં કહેવા પ્રમાણે સમ્યક્ રીતે સાચવવા જોઈ એ.
૪૫
અંગશુદ્ધિ
પ્રથમ તા દેવમંદિરે અંગ શુદ્ધ રાખી જવું જોઇએ. જે-જે સ્થલે મધ્યસ્થ ભાગમાં જિનમદ્વિર હાય છે ત્યાં ત પેાતાના ઘરથી જ શુદ્ધ, જીવરહિત, અને કાંકરા કે વેળુવાળી જમીન ઉપર જરૂર જેટલા ઉષ્ણુ પાણીથી સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર પહેરી, પાદપ્રક્ષાલનાથે જળપાત્ર સાથે લઈ જિનમ ંદિરે જવું તે અત્યુત્તમ છે; પરંતુ જ્યાં પેાતાના ઘરથી જિનમંદિર વધારે દૂર ડાય ત્યાં તેમ કરવું તે લેવિરુદ્ધ અને શરીરને અપવિત્ર થવાના સંભવવાળુ' છે, કારણકે માટે અને લાંખે માગે જતાં અશુચિના તેમજ વ્યાવહારિક નીતિને અનુસરતાં મિલન જનાના સંસગ ના સંભવ છે. જ્યારે આમ હાય ત્યારે જિનમદિરે જઈને સ્નાન કરવું ચેાગ્ય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org