________________
૪૪ : જિનદેવદર્શન ૬. પચીસ જન એટલે બસે ગાઉ સુધી પૂર્વોત્પન
રોગ ઉપશમે અને નવા રેગ થાય નહીં. ૭. વૈરભાવ જાય. ૮. મરકી થાય નહીં. ૯ અતિવૃષ્ટિ એટલે હદ ઉપરાંત વરસાદ થાય નહીં. ૧૦. અનાવૃષ્ટિ એટલે વરસાદને અભાવ થાય નહીં. ૧૧. દુર્મિક્ષ એટલે દુકાળ ન પડે. ૧૨. સ્વચક્ર અને પરચકને ભય ન હોય. ૧૩. ભગવંતની ભાષા મનુષ્ય, તિર્યંચ અને દેવતા સર્વ
પિતાપિતાની ભાષામાં સમજે. ૧૪. એક જન સુધી સરખી રીતે સંભળાય, ૧૫. બાર સૂર્યના તેજવાળું ભામંડળ હોય.
આ અગિયાર (૫–૧૫) અતિશયે કેવળજ્ઞાન થાય ત્યારે થાય તેથી તે કર્મક્ષયજાતિશય કહેવાય છે. અને ૬-૧૨માં જણાવેલા રેગાદિક સાત ઉપદ્રવે તે ભગવંત વિહાર કરે ત્યારે પણ ચારે દિશાએ ફરતા પચીશ
જન સુધી ન હોય. ૧૬. આકાશમાં ધર્મચક્ર હોય. ૧૭. બાર જોડી (વીસ) ચામર અણવીંઝાયા વીંઝાય. ૧૮. પાદપીઠ સહિત સ્ફટિક રત્નનું ઉજજવલ સિંહાસન હેય. ૧૯. ત્રણ છત્ર દરેક દિશાએ હોય. ૨૦. રત્નમય ધમધવજ હોય. (તેને ઈંદ્રવજ પણ કહે છે.) ૨૧. નવ સુવર્ણકમળ ઉપર પગ પડે. (બે ઉપર પગ મૂકે
અને સાત પાછળ રહે.)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org