________________
પ્રાતિહાર્ય : ૩૩
દેવના ગુણ હવે દેવના ગુણ તપાસીએ. દેવમાં અનંત ગુણ છે અને ખરું જોતાં તેનું વર્ણન સરસ્વતી કે બૃહસ્પતિ પણ કરી શકે તેમ નથી છતાં મુખ્ય ગુણે શાસ્ત્રોમાં કહ્યા છે તે જોઈએ.
પંચપરમેષ્ટિને નમસ્કાર એ બધા મંગલેમાં પહેલું મંગલ છે. તે પંચપરમેષ્ઠિમાં અરિહંત અને સિદ્ધ એ દેવ છે અને આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ગુરુ છે. આ પુસ્તકમાં દેવતત્વ એ વિષય હોવાથી તે જ ચર્ચીશું.
બાર ગુણ અરિહંત દેવ, પ્રણમી જે ભાવે; સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુઃખ દેહગ જાવે.
શ્રી અરિહંત પ્રભુને બાર ગુણ છે, તેમાંના આઠ પ્રાતિહાર્ય કહેવાય છે અને ચાર અતિશય કહેવાય છે.
પ્રાતિહાય પ્રાતિહાર્ય એટલે જે પ્રતિહારી તરીકે પ્રભુ પાસે રહે છે તે. એ નીચે પ્રમાણે છેઃ
અશોકવૃક્ષઃ સુરપુષ્પવૃષ્ટિદિવ્યધ્વનિશ્ચામરમાસન ચ, ભામંડલં દુંદુભિરાતપત્ર સત્કાતિહાર્યાણિ જિનેશ્વરામ.
અર્થ—અશોકવૃક્ષ, દેવતાથી થતી પુષ્પવૃષ્ટિ, દિવ્યદેવનિ, ચામર, સિંહાસન, ભામંડલ, દુંદુભિ, અને છત્ર એમ જિનેશ્વરનાં આઠ પ્રાતિહાર્ય છે. એટલે શ્રી તીર્થકર જ્યાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org