________________
દર્શન કરનારમાં જ્ઞાન કેટલું જોઈએ? : ૧૩. જ્ઞાન વિનાના જી આંધળાથી પણ આંધળા છે. જ્ઞાન એ પ્રાણીમાત્રનાં બે ચક્ષુ સિવાયનું અંતચક્ષુ છે.
હવે એ જ્ઞાન મેળવવા માટે સમ્યગ્દર્શન અવશ્ય જોઈએ; કહ્યું છે કે
જ્ઞાન નહિ દરશન વિના, જ્ઞાન વિના ન ચરિત; ચરણ વિના નહિ મેક્ષ છે, તવ નિર્વાણ દિત્ત.
દર્શન વિના જ્ઞાન નથી, જ્ઞાન વિના ચરિત્ર નથી. ચરિત્ર વિના મોક્ષ નથી, અને મોક્ષ એટલે જ નિર્વાણ.
સમ્યગ્દર્શન એટલે યથાત દર્શન. તે પ્રાપ્ત કરવાને માટે પ્રભુદશન એક મુખ્ય કારણ છે. કેમ કે તેથી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. સમ્યકત્વથી આધ્યાત્મિક ગુણે પ્રાપ્ત થાય છે. અને સત્ જ્ઞાનને વિકાસ થતાંથતાં કેવલજ્ઞાન પણ પ્રકટ કરી શકાય છે. આ ઉપરથી સમજાશે કે કેવલજ્ઞાનદર્શનનું મૂળ પ્રભુદર્શન છે.
ખરા દર્શનનું સ્વરૂપ સમજવામાં અને સ્વામીની પિછાન કરવામાં જ્ઞાનની આવશ્યકતા તે રહેલી જ છે. જુઓ! પ્રભુને નમસ્કાર કરતાં આપણે બે શબ્દો જેમકે “નમે અરિહંતાણું એમ કહીએ છીએ, તેમાં પણ જ્ઞાનનો ઉપગ થાય છે તે બે શબ્દથી આખા સંસારભ્રમણથી તરી શકીએ. તેની ટૂંક સમજણ આ . અરિ એટલે અંતરંગ શત્રુઓ જેવા કે કામક્રોધાદિ કષા વગેરે જે કર્મબંધના કારણે છે તે. આથી આ જાણવામાં કર્મબંધ કેનાથી થાય છે, તેનું સ્વરૂપ, તે પરથી ઊપજતા બંધ, આસવ તનું સ્વરૂપ અને હંત એટલે હણનાર, હણવામાં શાથી હણાય છે તે એટલે સંવર, નિજર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org