SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૨ : જિનદેવદર્શન આપણે યથાપ્રકારે ચર્મચક્ષુથી અશુભ કર્મના ઉદયે સાક્ષાત્ દેવનાં દર્શન કરવા અસમર્થ છીએ, તે પછી અંતર્ચક્ષુથી થતા દર્શનની ક્યાં વાત કરવી? છતાં આ સ્થિતિ પુરુષાર્થ – વીર્યને ઉપયોગ કરવાથી ઘણું સુધારી શકીએ તેમ છીએ. હાલ આપણે નિર્બળ – શક્તિહીન પ્રજા -તરીકે લેખાઈએ છીએ. જે વીર પ્રભુએ એક ચરણના અચૂંઠડાથી મેરુપર્વતને કંપાવ્યું હતું, તેના પુત્રે આપણે આત્મશૌર્ય વગરના હોઈએ તે ઓછું શરમાવનારું છે? આગળના શ્રાવકો સાથે આપણને સરખાવતાં તરત જ જણાઈ આવે છે કે તેમને આચાર પરમ શુદ્ધ હતું, સદ્ગુણ અને વીરત્વની મુદ્રાથી તેઓ અંકિત હતા, ન્યાયી અને પરાક્રમી હતા. આપણે હવે જે ચેતીએ તે તેમના જેવા કાં ન થઈ શકીએ ? જે કમને ધર્મ જ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂ૫ છે તેમાં વિદ્વાનો કે જે હાલમાં હોય તે ગણ્યાગાંઠડ્યા જ છે તેને મોટો જથ્થો કાં ન હોય? હવે જોઈએ; તે મતિજ્ઞાન, અને શ્રુતજ્ઞાન મેળવવામાં દરેક શ્રાવકે વીર્ય સ્કુરાવવું જોઈએ. - દયેય એવા જે અનંત ચતુષ્ટયવાળા પ્રભુરૂપ ધ્યાતા થાય તે જ તેનું ખરું ધ્યાન કહેવાય અને એ જ અંતિમમાર્ગ છે. આ ધ્યાનની યથાર્થ દશા જાણવા માટે પણ જ્ઞાન અને વીર્યની પૂર્ણ જરૂર છે. પરમસુખને સૌ કોઈ ઈચ્છે છે. હવે પરમસુખ તે કયું? જે ત્રિકાલાબ ધિત, શાશ્વત હોય છે. આવા સુખને વાતે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ત્રણ જ બસ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005289
Book TitleJindev Darshan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy