________________
દર્શન કરનારમાં જ્ઞાન કેટલું જોઈએ? : ૧૧. રીતે અંતરાયકર્મ બંધાય છે.)
આથી સમજી શકાશે કે ઉપલી વાત ધ્યાનમાં રાખી શાંતિના આરાધક થવું – વિરાધક ન થવું જોઈએ.
દર્શન કરનારમાં જ્ઞાન કેટલું જોઈએ?
પ્રભુનું દર્શન કરનારમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન ઊંચા પ્રકારનું જોઈએ, તે પણ ઊંચા પ્રકારનું ન હોય તે ભાષાજ્ઞાન અને અર્થજ્ઞાન તે અવશ્ય જોઈએ. ભાષા વગર પ્રભુના ગુણે વર્ણવી શકાય નહીં, અને અર્થજ્ઞાન વગર પ્રભુનાં સ્તુતિગાન, સ્તવમાં શું રહસ્ય છે તે સમજી શકાય નહીં; કારણકે સમજ્યા વગર જે બેલિવું કે સાંભળવું હોય તે
એક સારું ગ્રામોફેન કે ફિનોગ્રાફ દહેરાસરમાં રાખવાથી કામ સરે તેમ છે. જોકે ફેનેગ્રાફમાં ઉતારેલાં ભક્તિરસપૂર્ણ સ્તવનો આદિમાં પણ ભાષા અને અર્થના જાણકાર ઉત્તમ પુરુષે લીન થઈ શકે છે, તે ભાષા-અર્થજ્ઞાન અવશ્યનું છે. ભાષા તથા અર્થનું જ્ઞાન મતિ તથા શ્રુતજ્ઞાનમાં સમાવેશ પામે છે. શ્રુતજ્ઞાનથી શ્રી પ્રભુના ગુણે–તેમની પૂજા-પૂજાવિધિ–ભાવપૂજા આદિનું જ્ઞાન થાય છે, તે પણ ખાસ જરૂરનું છે.
આપણામાં મતિ અને શ્રુતજ્ઞાન છે ? જ્ઞાન માટે શ્રાવકે ઘણે ભાગે હમેશાં વ્યાખ્યાનોમાં જઈ સાંભળે છે, પરંતુ કેટલાક શ્રાવકેને કેમ જાણે અદત્તાદાનને દેપ લાગતું હોય તેમ સાંભળેલું વ્યાખ્યાનમાં જ મૂકીને ઘેર આવે તે શું શોચનીય નથી?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org