SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ : જિનદેવદર્શન ઘાતક કર્મો કે જેથી આત્માનું મૂલ સ્વરૂપ મેળવી શકાતું નથી. તે ચાર છે. ૧. જ્ઞાનાવરણીય કર્મ: જ્ઞાનીઓના સ્તવનમાં વિકત-- રૂપ થવાથી. ૨. દર્શનાવરણીય કર્મ: બીજાઓને દેવદર્શન થતાં અટકાવવાથી. ૩. મેહનીયકર્મઃ કેટલાક દુઃસ્વર કાઢતા હોય તે તે ઉપર ક્રોધ આવી જાય છે તેથી. (આની સાથે કહેવું પડે છે કે કેટલાક પિતાની દષ્ટિ કે ચિત્ત પુલરચના તરફ રાખે છે તેથી આ કર્મ બાંધે છે. વળી દર્શન કરતી વખતે દેવના ગુણોનું રટણ, મરણ અને ધ્યાન કરવાને બદલે પ્રભુની આંગી સારી નથી થઈઆભૂષણ પુર આદિ બરાબર પહે-. રાવ્યાં નથી એવા વિચાર સાથે દર્શન ન કરવા જોઈએ. પરંતુ આવી તપાસ માત્ર પ્રભુભક્તિ માટે દર્શન પહેલાં કરી લેવી અને કાર્ય કરનારાઓને શાંતિથી સૂચના આપવી, પણ દ્વેષ ન કરે દર્શન કરતાં આવી ખટપટ ન કરવી. ૪. અંતરાયકર્મ : તાણને ઘંઘાટ કરવાથી બીજાના દર્શનમાં અંતરાયરૂપ થવાય છે. (આની સાથે કહેવાનું કે પ્રભુમંદિરમાં લેભના કારણથી અથવા તે નોકર ખાઈ જશે એવાં કારણોથી કે ઉપરીને રાજી રાખવા હલકાં નૈવેદ્યાદિ ચઢાવવાથી અને બીજાને તેમ કરતાં શીખવવાથી આ કર્મ થાય છે. વળી હાલમાં દેરાસરમાં હલકા ઘીના દીવા બળે. છે, કદઈની દુકાનની મીઠાઈ ચઢે છે; હલકા ખાના સાથિયા થાય છે તે શોચનીય છે, અને તેથી પણ ખરી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005289
Book TitleJindev Darshan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy