SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૮: જિનદેવદર્શન ૧. અનેક વ્યક્તિઓ આવી ઘટના જબરા અવાજ કરે છે. ૨. કેટલાક દુઃસ્વરવાળા ભેંકડો તાણે સમજ્યા વગર બૂમાબૂમથી સ્તવન ગાનારને અવાજો સંભળાય છે. આવા શેરબકોરમાં યોગીઓ જ સ્વસ્થ ચિત્ત રાખી શાંતિથી, ગુણાનુરાગ અને ભાવપૂર્વક દેવસ્થાન અને દેવનું દર્શન કરી શકે તેમ છે. આપણે યેગીઓ ન હોવાથી એમ કરી શકીએ તેમ નથી. આથી આપણને પ્રભુદર્શનમાં થવા જોઈતા પ્રભુસંબંધના ઉચ્ચ વિચારોમાં વિક્ત આવે છે તે દરેક સમજુ માણસ કહી શકશે. આથી વિનંતિ કે કઈ વિદ્વાન સુસ્વરથી અમુક સ્તવન ગાતે હેય તે બીજાએ અસભ્ય થઈ પિતાને દુઃસ્વર કાઢી સુસ્વરથી ગાનારને તથા અન્યને વિનરૂપ ન થવું અને ધીમેથી અગર મનમાં પિતે સ્તવન ગાવું, અગર સુસ્વરથી ગાતા જન પાસે જઈ તેનું સ્તવન એકચિત્તથી શ્રવણ કરવું. ઘંટ આદિના નાદ કરવા તે ધીમેથી કરવા. (હવે આપણે ચિત્યમાં દેવદર્શન કરવા જઈએ છીએ ત્યાં હાલનું વાતાવરણ કેમ સુધારી શકાય, અને દેવદર્શન કરનારામાં જ્ઞાન અને મનશુદ્ધિ કેટલાં હોવાં જોઈએ, કે જેથી દેવદર્શનનો હેતુ, ઉત્તમ વંદન કયું વગેરે તે સમજી શકે, તે જરા જોઈશું.) દશન વખતે વાતાવરણ કેવું હોવું જોઈએ? આપણું મનેબલ બહુ જ નબળું છે, તેમ મન બહુ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005289
Book TitleJindev Darshan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy