________________
હાલનું વાતાવરણ : ૭ વાળા છે; કારણ કે કાંઈ પણ હથિયાર ધારણ કરવું એ દ્વેષની નિશાની છે, તેથી આવા દેવ ખરા દેવ – સદેવ ન કહેવાય. આવા હથિયાર ધારણ કરનારા દેવ ભય ટાળી શકે તેમ નથી; કારણકે જેને ભય હેય તે જ હથિયાર ધારણ કરે અને જે બીતા હોય તે બીજાની બીક કેમ નિવારી શકે? કેટલાક દેવને જપમાળા હોય છે. ખરા દેવને આની જરૂર નથી, કારણ કે જે સર્વજ્ઞ છે તે વળી કેને જપ કરે? ખરા દેવ પવિત્ર છે તેથી તેને કમંડળ આદિ જળપાત્રની જરૂર નથી; તે દયાના સાગર છે તેથી તેને સિંહ, હાથી આદિ વાહનની જરૂર હોય જ નહીં. તેથી ખરા દેવને વંદન કરવાથી ભય મટે છે, રાગદ્વેષાદિ દૂર થાય છે અને કર્મોને ક્ષય થવાથી શુદ્ધ આત્મગુણ પ્રગટે છે.
હાલનું વાતાવરણ દેવદર્શન કરવાને હેતુ દેવના ગુણેનું ધ્યાન કરી તેમની પેઠે આપણે કર્મને ક્ષય કરવાનું છે. આત્મસ્વરૂપના આડે આવનારાં ચાર ઘનઘાતી કર્મો દૂર કરવાના છે, જ્યારે આપણે તેને તેડવા દેવમંદિરે જવું જોઈએ ત્યારે ઊલટાં કર્મો બાંધીને આવીએ છીએ. આ વાત નીચેની હકીક્તથી સત્ય જણાશે.
આ વસ્તુતઃ તપાસીએ તે હમણની જે-જે સ્થિતિ જાણ્યેઅજાયે ઊભી કરવામાં આવી છે તે સારી નથી જે દેવમંદિર શાંતિનું સામ્રાજ્ય હેવું જોઈએ ત્યાં જતાં આ જકાલ દેરાસરની અંદર નીચેની સ્થિતિ માલુમ પડે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org