________________
૪ : જિનદેવદર્શન કરવી જોઈએ અને તેમ થતી ક્રિયાને ધર્મક્રિયા કહેવામાં આવે છે.
આવી ધર્મક્રિયાઓમાં પ્રભુદર્શન ઉત્તમ ક્રિયા છે. પ્રભુદર્શનમાં પ્રભુનાં ગુણગાન, નામસ્મરણ, સ્તુતિપાઠ, ધ્યાન ઈત્યાદિ સર્વને સમાવેશ થાય છે અને તેથી પ્રભુસ્વરૂપનું જ્ઞાન થાય છે. અશુભ કર્મ (પાપ) ધીમેધીમે ખરી જાય છે, અને આત્મા પરમાત્માને ઓળખતાં તેમાં મગ્નતા પામે છે. એટલે મોક્ષ મળે છે.
દશનથી લાભ દર્શન દેવદેવસ્ય દર્શન પાપનાશન, દર્શનં સ્વર્ગ પાનું દર્શન મોક્ષસાધનમ.
અર્થ–દેવના પણ દેવ એવા અરિહંત ભગવાનનું દર્શન પાપને નાશ કરનાર છે– સ્વર્ગની સીડી છે – મેક્ષનું સાધન છે.
હવે સ્વર્ગ કરતાં મેક્ષનું સુખ અનંતગણું વધારે છે, છતાં એ જ દર્શને સ્વર્ગને પણ આપે છે, અને મોક્ષને પણ આપે છે. તે તેનું કારણ એ છે કે જેવી ભાવના તે પ્રમાણે સિદ્ધિ. અમુક પ્રકારની ઈચ્છાથી જેટલી જેમાં સમજ તેટલાથી તે દર્શન કરે છે તેવું ફળ મળે છે, કારણકે
જ્યાં કિયા ત્યાં ફલ હેય. જે ઈચ્છા વગર ઉદાસીન ભાવે પ્રભુના સ્વરૂપચિંતવનની દશા પ્રાપ્ત કરી પછી આત્મરમણતા થાય તે આત્મા પરમાત્મા બને છે એટલે મોક્ષ પામે છે.
ચૈત્યવંદનતઃ સમ્યફ શુભ ભાવઃ પ્રજાયતે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org