SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ : જિનદેવદર્શન છે અને સંબંધ એ છે કે આજકાલ દેવવંદનનું ખરું રહસ્ય દેવામાં આવતું નથી. મૂતિ કેવી છે? જે શ્રી જિનભગવાનના દર્શન આપણને પરમ પવિત્ર કરે છે તેની મૂતિ – વીતરાગમુદ્રા કેવી છે? તેના ઉત્તરમાં શ્રી આનંદઘનજી કથે છેઃ અમીય ભરી મૂરતી રચી રે, ઉપમા ન ઘટે કેય, શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપતિ ન હોય, વિમલજિન ! દીઠા લેયણ આજ. વિશેષાર્થ–પરમાત્માની મૂર્તિના સ્વરૂપનું વિશેષ વર્ણન એક મુખે કેટલું કરી શકું? તોપણ અલપમાં બહુ કહીશ. જગતમાં અમૃતસમાન પ્રશંસાપાત્ર કઈ વસ્તુ નથી, તેથી નિ કેવલ અમૃતમયજ જેમ કોઈએ રચી હેય તેમ આપની મૂર્તિ સ્વાભાવિક તેવી રચાયેલી છે. જગતમાં એ કઈ પદાર્થ નથી જેની ઉપમા આપની મૂર્તિને આપી શકાય; અહીં જે મૂર્તિને અમીયભરી કહી છે, તે માત્ર વચનવ્યાપાર કરવારૂપ ઉપમા કહી છે, પરંતુ પ્રભુની મૂર્તિ તે રાગદ્વેષના અભાવથી પરમ શતરૂપ અમૃતરસમાં જ ઝીલી રહી છે, જાણે મૂર્તિમાન શાંતરસ દ્રવતે હેય, તેવી મૃતિ છે. વળી અમૃતપમા પણ ઘટતી નથી, કારણકે અમૃતથી તે માત્ર અંગે પાગે અજર થવાય છે, જ્યારે પ્રભુમૂર્તિના શાંતરસથી આત્મા જન્મમરણરહિત થાય છે. તેથી પ્રભુની મૂર્તિને નીરખતાં નીરખતાં મારાં ચક્ષને, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005289
Book TitleJindev Darshan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy