________________
15
અને તેને વિસ્તારવાનું કાર્ય પણ સોંપ્યું. આથી પૂર્વની ઇચ્છા ગતિમાન થઇ, અને તેના ફલરૂપે આની સાથે જે લખીને જૈન પ્રજા સન્મુખ ધરવામાં આવ્યું છે તે કરી શકાયું.
આ કૃતિમાં દેવવ`દનભાગ્યના મુખ્યપણે આધાર લેવામાં આવ્યા છે, પરંતુ મેટા ચૈત્યવદનમાં જે સૂત્ર આદિ વિસ્તારમાં એલવામાં આવે છે, તેના ઉપયોગ આમાં કરવામાં આબ્યા નથી, અને તેની મર્યાદા નાના ચૈત્યવંદન સુધી રાખવામાં આવી છે, કારણકે તે જ સર્વત્ર વિશેષ પ્રચારમાં છે. ભાષ્ય સિવાય કલ્યાણમ'દિર અને ભક્તામર સ્તન્ત્ર, શ્રી આનંદઘનજી ચાવીશી, શ્રી દેવચંદ્રજી ચાવીશી આદિ પુસ્તકના આધાર લેવામાં આવ્યો છે. આથી તે સર્વના ઉપકાર થયા છે.
આ પુસ્તકમાં વિષય શ્રી જિનભગવાનનાં દર્શન કયા પ્રકારે કરવાં તે છે, અને તે દરેક જૈનને હંમેશાં પ્રથમ આવશ્યકરૂપે છે. તેથી દરેક જૈનને ઉપયોગી આ ગ્રંથિકા છે. આમાં દશનની વિધિ હેતુસહિત બતાવવામાં આવી છે. પૂર્વાચાર્યાએ જે વિધિ દરેક ક્રિયાની બતાવી છે, તે સર્વથા સહેતુક છે. આજકાલ વિધિના વ્યવહાર લેવામાં આવે છે, તેની સાથે તે વિધિ પરંપરાના કારણે તેમજ શિષ્ટજના ઘણા કાલથી આચરતા આવ્યા છે તે કારણે સ્વીકાર કરવા રવા યોગ્ય છે, એટલું જ નહીં; પરંતુ તેની સાથે તે વિધિ આચરવાના શુભ આશયા, હેતુઓ, કારણેા હમેશાં હોય છે, તે હેતુ લક્ષમાં રાખી વિધિનું આચરવું થાય તે વિશેષ કલ્યાણકારી નીવડે છે. આથી વ્યવહાર અને નિશ્ચય નય બંનેને સમાન – ચૈગ્ય આદર આપી શકાય છે, અને તેથી શુદ્ધતા
માદ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org