________________
સિદ્ધ થાય છે, કિં બહુના. સર્વત્ર ઉપાસ્યનું જ ભાન રહે છે. વિષયાસક્ત મનુષ્યને સ્વ-સ્વ વિષયનું જ સર્વદા દર્શન સ્મરણ સહજસિદ્ધ હોય છે, તેમ ઉપાસકેને ઉપાસ્યનું સહજસિદ્ધ ભાન સર્વદા રહે છે.
વર્તમાન સમયમાં પાશ્ચાત્ય સંસર્ગોએ આપણી સ્થિતિ, રીતિ, રહેણીકરણીમાં અનેક વિકાર ઉપજાવ્યા છે. તે એટલે સુધી કે કેટલાક તે જાણે સ્વભાવસિદ્ધ હોય તેવા અનિવાર્ય થઈ પડ્યા છે. એવે પ્રસંગે આવા ક્રિયામાર્ગને આશ્રય કેમ થઈ શકે? એવી શંકા સહેજે થવાને સંભવ છે. પણ ક્રિયામાર્ગના અનુયાયીને એટલું સમજવું ઘટે કે કિયાને આશ્રય કરવામાં મુખ્ય હેતુ શ્રદ્ધા છે, અંતઃકરણના મલને જેનાથી નાશ થાય છે તે શ્રદ્ધા છે. કિયા – કર્મને અતિશય આડંબર કે વિસ્તાર ઈષ્ટ નથી. જેટલું થઈ શકે તેટલું જ સ્વીકારવું અને તેને શ્રદ્ધાથી અને નિયમથી યથાર્થ રીતે પાળવું. દેશકાલ વિચારી સ્વ-શક્તિ અનુસાર નિયમ લે, પણ તેમાં અશ્રદ્ધા કરવી નહીં અને તેને જે નિયમિત સમય રાખે હોય તેમાં વિક્ષેપ થવા દે નહીં.
છેવટે નીચેનાં વીર-પ્રવચને સંપૂર્ણ રીતે અવધારવાનું સુજ્ઞ વાચકને વીનવી તથા વીરસંતાન તરીકેનું ગીત ગાઈ વિરમું.
પુરિસા! સમેવ સમભિજાણહિ, સચ્ચસ્સ આણાએ સે ઉવડ્રિએ મેહાવી મારે તરઈ.
(આચારાંગ) – હે પુરુષે! સત્યનું જ સમભિજ્ઞાન – પરિજ્ઞાન કરે. સત્યની આજ્ઞા પર જ ઊભેલે બુદ્ધિશાળી મૃત્યુને તરી જાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org